Charotar Sandesh
ઈન્ડિયા

દેશમાં કોરોના હાંફ્યો : ૨૪ કલાકમાં કેસ ઘટીને ૨૭,૦૭૧ થયા…

કુલ ૧૫.૪૫ કરોડ લોકોના ટેસ્ટ કરાયા…

ન્યુ દિલ્હી : કોરોનાની રસી આવે તે પહેલા જ દેશમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨૭,૦૭૧ દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૯૮,૮૪,૧૦૦ થઈ છે. જેમાંથી ૩,૫૨,૫૮૬ લોકો હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે ૯૩,૮૮,૧૫૯ લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છે. કોરોનાના કારણે એક જ દિવસમાં ૩૩૬ લોકોના મૃત્યુ થયા છે. આ સાથે જ કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો ૧,૪૩,૩૫૫ પર પહોંચી ગયો છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૧૫,૪૫,૬૬,૯૯૦ ટેસ્ટ હાથ ધરાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૮,૫૫,૧૫૭ નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

Related posts

વડાપ્રધાન મોદીનુ ટ્રમ્પને ગળે લગાવવાનુ કામમાં ન લાગ્યુઃ ઓવૈસી

Charotar Sandesh

બીએડની પરીક્ષા દરમિયાન કોઈને કોરોના થયો નથી, JEE-NEET પરીક્ષા થવી જોઈએ : મુખ્યમંત્રી યોગી

Charotar Sandesh

ઉત્તરપ્રદેશની ચુંટણીમાં સીએમ યોગી આદિત્યનાથની ફરી સત્તા આવતાં પાકિસ્તાન ભડક્યું

Charotar Sandesh