Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

બોરસદ તાલુકાના કસુંબાડ તાબેના ગામમાં ગટરલાઈનનું કામ ખોરંભે : ગ્રામજનોમાં રોગચાળાનો ભય..!

આણંદ : બોરસદ તાલુકાના કસુંબાડ તાબેના બ્રુકડિત ખાતે સરકારી ગટરલાઈન યોજના હેઠળ છેલ્લા કેટલાક માસથી ગટરલાઈનનું કામકાજ ખોરંભે ચઢેલ હોવાથી અવારનવાર કોન્ટ્રાક્ટર તેમજ સરપંચ અને તલાટીને રજૂઆત કરવા છતાં કામ પૂર્ણ થયેલ નથી. જેને લઈ ગામમાં ગટરનું ગંદુ પાણી ઉભરતાં રોગચાળાનો ભય ખૂબ જ વકર્યો છે, ગ્રામજનો ત્રાહીમામ પોકારી ગયેલ છે.

ત્યારે આ બાબતે સંબંધિત તંત્ર દ્વારા સરકારી ગટર લાઈન યોજનાનું અટકેલ કામ સત્વરે પૂર્ણ થાય તેવી ગ્રામજનોની માંગ છે.

  • Jignesh Patel, Anand

Related posts

અમૂલે હલ્દી દૂધના ગુણ ધરાવતો વિશ્વનો સૌ પ્રથમ “હલ્દી આઈસક્રીમ” રજૂ કર્યો…

Charotar Sandesh

આણંદ : લોકડાઉનના પગલે યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતો ચિંતામાં મુકાયા…

Charotar Sandesh

આણંદ જિલ્‍લામાં ઉચ્‍ચતર-માધ્‍યમિક શાળાઓમાં ૨૨૩ શિક્ષકની મેરીટના આધારે નિમણૂંકપત્રો એનાયત…

Charotar Sandesh