Charotar Sandesh
ઉત્તર ગુજરાત

બોર્ડનાં પેપર ચેક કરતા શિક્ષકોને રોગપ્રતિકારક દવાઓનું વિતરણ કરતા શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો…

સુરેન્દ્રનગર : આજે રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ સુરેન્દ્રનગર દ્રારા ધો-૧૦ /૧૨ બોર્ડનાં પેપર ચકાસણી કેન્દ્ર પર કામ કરતા શિક્ષકોઓને માન.પ્રધાનમંત્રી શ્રી અને આરોગ્ય સચિવશ્રી જયંતિ રવિ મેડમ ની ખાસ આગ્રહભરી સુચના અનુસાર હોમિયોપથી arsenic album 30 રોગપ્રતિકારક શક્તિ વધારે છે તેનું વિતરણ કરવામાં આવ્યું. જે ખાસ કોરોના સામે રક્ષણ મેળવવા માટે આયુષ મંત્રાલય દ્રારા સૂચન પણ કરવામાં આવેલ છે. આ દવાનું આજે આર.એ.પટેલ બોયઝ હાઇસ્કુલ ખાતે વિતરણ કરવામાં આવ્યું તેમજ આર્યબંધુજી દ્રારા આર્યુવેદીક ઉકાળો પીવડાવવામાં આવ્યો.

જેને સફળ બનાવવા માટે પ્રાથમિક શૈક્ષીક મહાસંઘનાં પ્રમુખ રણછોડભાઈ મહામંત્રી દશરથસિંહ પ્રદેશ મંત્રી બ્રિજરાજસિંહ રાણા તેમજ અનિલભાઈ અને હેમલભાઈ એ ભારે જહેમત ઉઠાવી તેમજ આ દવાઓ આયુષ મંત્રાલય ગાંધીનગર સંલગ્ન જિલ્લા આર્યુવેદ શાખા સુરેન્દ્રનગરનાં સરકારી હોમિયોપેથીક દવાખાનું દેવચરાડી (dhrangdhara)નાં ઓફિસર ડો.જયંતીકા સોલંકીએ નિઃશુલ્ક આપી મદદરૂપ થયા હતા.

  • બ્રીજરાજસિંહ રાણા, સુરેન્દ્રનગર

Related posts

અનોખો વિરોધ : કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી સાયકલ પાછળ ગેસ સિલિન્ડર બાંધીને મતદાન કરવા પહોંચ્યા

Charotar Sandesh

ત્રીજી લહેરના ભય વચ્ચે ભાદરવી પૂનમની ઉજવણી થશે કે કેમ તે અંગે ભક્તો ચિંતીત

Charotar Sandesh

એનડીઆરએફની ટીમને સલામ… ગર્ભવતી મહિલાઓ સહિત હજારોનાં જીવ બચાવ્યા…

Charotar Sandesh