Charotar Sandesh
ઈન્ડિયા

મોદી સરકાર કેન્દ્રના ૩૦ લાખ કર્મચારીઓને દિવાળી બોનસ આપશે…

કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય,દશેરા પહેલાં ચૂકવણીની સંભાવના…

કુલ ૩૭૩૭ કરોડનો ખર્ચ થશે, રેલવે, ટપાલ, સંરક્ષણ, EPFO, ESICના કર્મીઓને લાભ મળશે…

ન્યુ દિલ્હી : વડાપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટે ૩૦ લાખ સરકારી કર્મચારીઓને દિવાળી બોનસ આપવાની જાહેરાત કરી છે. સરકારની આ જાહેરાતથી કેન્દ્રના ૩૦ લાખ કર્મચારીઓ દિવાળી બોનસ મળશે.
કેબિનેટના નિર્ણયની જાણકારી આપતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે કે, ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી સીધા કર્મચારીઓના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે. તેણે જણાવ્યું કે, તુરંત પૈસા ટ્રાન્સફર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
કેન્દ્રીય મંત્રીમંડળે ૨૦૧૯-૨૦૨૦ માટે ઉત્પાદકતા સાથે જોડાયેલા બોનસ અને બિન ઉત્પાદકતા સાથે જોડાયેલા બોનસને મંજુરી આપી દીધી. આ જાહેરાતથી ૩૦ લાખથી વધારે કેન્દ્રીય કર્મચારીઓને લાભ થશે અને તેનાથી કુલ ૩૭૩૭ કરોડનો ખર્ચો થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે રેલવે, પોસ્ટ, ડિફેન્સ, ઇપીએફઓ, ઇએસઆઇસી જેવા વિભાગોના નોન ગેઝેટેડ કર્મચારીઓને વર્ષ ૨૦૧૯-૨૦૨૦ માટે બોનસ ચુકવવા માટે પોતાની મંજુરી આપી દીધી છે.
ઉલ્લેખનિય છે કે, બીન-પીએલબી અથવા તદર્થ બોનસ નોન ગેઝેટેડ કેન્દ્રીય કર્મચારીઓને આપવામાં આવે છે. સરકારની આ જાહેરાતથી ૧૩.૭૦ લાખ કેન્દ્રીય કર્મચારીઓને લાભ થશે અને સરકાર પર ૯૪૬ કરોડનો આર્થિર બોજો પડશે. બોનસથી કુલ ૩૦.૬૭ લાખ કર્મચારીઓને લાભ થશે અને કુલ નાણાંકિય ખર્ચ ૩૭૩૭ કરોડ રૂપિયા થશે.
ઉલ્લેખનિય છે કે, આ પહેલા ગત સપ્તાહેમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સરકાર કર્મચારીઓ માટે સ્પેશિયલ ફેસ્ટીવલ એડવાન્સ સ્કીમની શરૂઆત કરવાની જાહેરાત કરી હતી. જેના માધ્યમથી કર્મચારી એડવાન્સમાં ૧૦ હજાર રૂપિયા લઈ શકશે.
તમને જણાવી દઈએ કે કોવિડ ૧૯ની અર્થવ્યવસ્થા ઉપર અસરને જોતા નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્પેશયલ એલટીસી સ્કીમની પણ જાહેરાત કરી છે. તેનો ફાયદો કેન્દ્ર સરકારના કર્મચારીઓને મળશે. આ સ્કીમમાં એલટીએના બદલે કર્મચારીઓને કેશ વાઉચર મળશે. જો કે, તેનો ઉપયોગ ૩૧ માર્ચ ૨૦૨૧ પહેલા કરવાનો રહેશે. જો કે, આ સુવિધાનો લાભ લેવા માટે સરકારે કેટલીક ગાઈડલાન્સ આપી છે જેનું પાલન કરવાનું રહેશે.

Related posts

ધર્મનિરપેક્ષતા વૈશ્વિક સ્તરે ભારત માટે મોટો ખતરો : યોગી આદિત્યનાથ

Charotar Sandesh

બીજી લહેર માટે પીએમ મોદી અને ચૂંટણી પંચ જ જવાબદાર : મમતા બેનરજી

Charotar Sandesh

છત્તીસગઢના બીજાપુરમાં નક્સલીઓ સાથે અથડામણમાં ૫ જવાન શહીદ : ત્રણ નક્સલવાદી ઠાર…

Charotar Sandesh