Charotar Sandesh
ઈન્ડિયા

દેશમાં અત્યાર સુધી ૫૦ ટકા લોકોએ રસીના બે ડોઝ લઈ લીધા છે : સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા

ઓમિક્રોન વાયરસ

નવી દિલ્હી : વિદેશમાં ફેલાયેલ ઓમિક્રોન વાયરસના સંભવિત ખતરાને જોતા સરકારે રસીકરણ ઝડપી બનાવવા પર અને લોકો રસી લે તેના પર ભાર મુકયો છે. બીજી તરફ ૫૦ ટકા લોકોને રસીના બે ડોઝ મળી ગયા હોવાથી આ એક રાહતની વાત છે.

કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આજે કહ્યુ હતુ કે, ભારતમાં ૫૦ ટકા લોકોને કોરોના રસીના ડબલ ડોઝ અપાઈ ચુકયા છે.જે આપણા માટે ગર્વનો વિષય છે.

હવે કોરોનાનો ઓછામાં ઓછો એક ડોઝ મેળવી ચુકેલા લોકોની સંખ્યા ૧૨૭ કરોડ પર પહોંચી ચુકી છે

મંત્રાલય દ્વારા અપાયેલા આકંડા પ્રમાણે દેશના ૮૪ ટકા પુખ્ત વયના લોકો રસીનો ઓછામાં ઓછો એક ડોઝ લઈ ચુકયા છે.છેલ્લા ૨૪ કલાકમાં ૧.૦૪ કરોડ લોકોને કોરોનાની રસી મુકવામાં આવી છે.

Other News : દેશમાં નવા ઓમિક્રોનનો ભય હોવા છતાં માસ્ક પહેરવામાં લોકોની લાપરવાહી

Related posts

‘પરીક્ષા પર ચર્ચા’ : વડાપ્રધાન મોદી વિદ્યાર્થીઓ સાથે ૨૦ જાન્યુઆરીએ સંવાદ કરશે…

Charotar Sandesh

‘દિવાળી’ પર ખરીદીનો અર્થ ‘વોકલ ફૉર લોકલ’ : મન કી બાતમાં વડાપ્રધાન મોદીનો રાષ્ટ્રને સંદેશ

Charotar Sandesh

સમય જ બતાવશે કે કોનું અસ્તિત્વ છે અને કોનું નહીં : પ્રિયંકા ગાંધી

Charotar Sandesh