Charotar Sandesh
સ્પોર્ટ્સ

ક્રિકેટર હરભજન સિંહે કોચ તરીકે નવી ઈનિંગ શરૂ કરી શકે છે

હરભજન સિંહે

ન્યુદિલ્હી : ક્રિકેટર હરભજન સિંહે પંજાબથી આવતાપોતાની પહેલી ટેસ્ટ મેચ ૧૯૯૮માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમી હતી. તેને પોતાની છેલ્લી ટેસ્ટ ૨૦૧૫માં શ્રીલંકા સામે રમી હતી. તો ભજ્જીએ પોતાની પહેલી વનડે મેચ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ૧૯૯૮માં રમી હતી. તેનો આખરી વનડે મુકાબલો ૨૦૧૫માં સાઉથ આફ્રિકા સામે હતો.

૨૦૧૬માં હરભજને UAE વિરૂદ્ધ એશિયા કપમાં પોતાની છેલ્લી ટી-૨૦ મેચ રમી હતી

IPL હરભજનના નામે ૧૬૩ મેચમાં ૧૫૦ વિકેટ છે. તેને મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ માટે રમી ચુક્યો છે.૨૦૧૬થી જ ટીમ ઈન્ડિયાથી બહાર દિગ્ગજ ઓફ સ્પિનર હરભજન સિંહ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ શકે છે. જે બાદ તેઓ IPL કોઈ ફ્રેન્ચાઈઝીના સપોર્ટ સ્ટાફ કે કોચ બની શકે છે.

હરભજન મેગા ઓક્શનમાં પણ ટીમ માટે મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ભજ્જી આગામી સપ્તાહે ઓફિશિયલી પોતાના સંન્યાસને લઈને જાહેરાત કરી શકે છે. ૪૧ વર્ષના હરભજન આ IPL સીઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમમાં હતો.

જો કે IPL 2021ના બીજા ફેઝમાં તેને એક પણ મેચ રમવાની તક મળી ન હતી. હરભજને પોતાની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ ૨૦૧૬માં રમી હતી. ૨૦૦૧માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝ દરમિયાન હરભજન સિંહ અને સૌરવ ગાંગુલી. આ સીરીઝમાં ભજ્જીએ ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે પહેલી હેટ્રિક પોતાના નામે કરી હતી.

૨૦૦૧માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝ દરમિયાન હરભજન સિંહ અને સૌરવ ગાંગુલી. આ સીરીઝમાં ભજ્જીએ ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે પહેલી હેટ્રિક પોતાના નામે કરી હતી. ભજ્જીના નિકનેમથી જાણીતો હરભજન સિંહે ટીમ ઈન્ડિયા માટે ૧૦૩ ટેસ્ટ મેચ રમી છે. તેના નામે ૪૧૭ વિકેટ નોંધાઈ છે. વનડેમાં તેને ૨૩૬ મેચમાં ૨૬૯ વિકેટ લીધી છે. ટી-૨૦માં ભજ્જીએ ભારત તરફથી ૨૮ મુકાબલા રમ્યાં છે. જેમાં તેના નામે ૨૫ વિકેટ છે.

Other News : Test Match : ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને નોંધાવી સૌથી મોટી ટેસ્ટ જીત

Related posts

આઈસીસીએ ૩ બાંગ્લાદેશી અને ૨ ભારતીય ખેલાડીને સજા ફટકારી…

Charotar Sandesh

કરિયર દરમિયાન ૧૦-૧૨ વર્ષ સુધી તણાવનો સામનો કર્યો : સચિન તેંડુલકર

Charotar Sandesh

કોહલીનો ઓપનિંગને લઇ મોટો ઘટસ્ફોટ, કહ્યું- હું વર્લ્ડ કપમાં પણ આ ફોર્મને ચાલુ રાખીશ…

Charotar Sandesh