Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

તા. ૨૧ મી જુલાઈના રોજ વલ્લભ વિદ્યાનગર ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે : લાભ લેવા અનુરોધ

રોજગાર ભરતી મેળા

જિલ્લાના રોજગાર ઇચ્છુક ઉમેદવારોને ભરતી મેળાનો લાભ લેવા અનુરોધ

આણંદ : જિલ્લા રોજગાર કચેરી દ્વારા આણંદ જિલ્લાના રોજગારવાચ્છું ઉમેદવારોને રોજગારી અને નોકરીદાતાને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર મળી રહે તે માટે આગામી તા.૨૧/૦૭/૨૦૨૩ શુક્રવારના રોજ સવારે ૧૦-૩૦ કલાકે વલ્લભ વિદ્યાનગરના મોટા બજાર વિસ્તારમાં આવેલી વી.પી. એન્ડ RPTP સાયન્સ કોલેજ ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ ‌છે.

આ રોજગાર ભરતી મેળામાં આણંદ તથા અન્ય જિલ્લાના ખાનગી એકમના નોકરીદાતાઓ દ્વારા કુશળ ઉમેદવારોની સ્થળ ઉપર જ પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. જેમાં ૧૮ થી ૩૫ વર્ષની વયના એસ.એસ.સી, એચ.એસ.સી, ડિપ્લોમા ડિગ્રી તથા સ્નાતક, અનુસ્નાતક જેવી લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે.

વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરીનાં હેલ્પ લાઈન નંબર ૬૩૫૭૩ ૯૦૩૯૦ ઉપર સંપર્ક કરવા આણંદના જિલ્લા રોજગાર અધિકારીએ જણાવ્યું છે.

Other News : કર્ણાટક હાઇકોર્ટનો મોટો ચુકાદો : પત્નીની સારસંભાળ કરી શકો તો માતા-પિતાની કેમ નહીં : ભરણષોષણ ચૂકવવા આદેશ

Related posts

વડતાલ જ્ઞાનબાગથી માણકી ઘોડી પર અસવાર શ્રીજી મહારાજના પૂજન સાથે કાર્તિકી સમૈયાનો પ્રારંભ થયો

Charotar Sandesh

૬ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કેસરિયો લહેરાતાં નડિયાદમાં આતશબાજી સાથે ભવ્ય ઉજવણી…

Charotar Sandesh

આણંદ ખાતે પોષણ પાંખવાડિયાની ૮ થી ૨૨ માર્ચ દરમ્યાન ઉજવણી કરાશે…

Charotar Sandesh