Charotar Sandesh
ઈન્ડિયા

છેલ્લો ચાન્સ : ૨૦૦૦ રૂપિયાની નોટ બદલવાની મુદ્દતમાં વધારો કરાયો : આગામી તારીખ ૭ ઓક્ટોબર કરાઈ

૨૦૦૦ રૂપિયા

કેન્દ્રીય રિઝર્વ બેન્કે ૨૦૦૦ રૂપિયાની નોટને બદલવા, જમા કરવાની સમય મર્યાદા ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૩થી વધારી ૭ ઓક્ટોબર ૨૦૨૩ કરી દીધી છે.

મે મહિનામાં RBI બેન્કે ૨૦૦૦ રૂપિયાની નોટ પરત લેવાની જાહેરાત કરાઈ

રિઝર્વ બેન્ક તરફથી જાહેર અખબારી યાદી પ્રમાણે, નવી ડેડલાઇન ખતમ થયા બાદ એટલે કે ૮ ઓક્ટોબર ૨૦૨૩થી 2000 રૂપિયાની નોટને બેન્કમાં જમા/બદલવાની પ્રક્રિયા બંધ કરી દેવાશે.

૨૦૦૦ Rupees ની બેંકનોટ વધુમાં વધુ ૨૦૦૦૦ રૂપિયાની મર્યાદામાં બદલી શકાય છે. તમે રિઝર્વ બેન્કના ૧૯ કાર્યાલયોમાં ઈન્ડિયા પોસ્ટના માધ્મયથી ૨૦૦૦ રૂપિયાની નોટ મોકલી શકો છો. આ કાર્યાલયમાં ૨૦૦૦ની બેંક નોટ કોઈ મર્યાદા વગર જમા કરી શકાય છે.

જો 7 October સુધી કોઈ બેન્ક ૨૦૦૦ રૂપિયાની નોટને બદલવા કે જમા કરવાની ના પાડે તો તમે રિઝર્વ બેંકની Website પર તેની ફરિયાદ કરી શકો છો.

Other News : શાહરુખ-પ્રભાસની ટક્કર થશે ઐતિહાસિક, સાલાર અને ડિંકી બતાવશે ભારતીય સિનેમા માટે સૌથી નફાકારક દિવસો !

Related posts

India Budget 2022 : સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું, કરો ક્લિક

Charotar Sandesh

રાજસ્થાન રાજનીતિ સંકટ : હાઇકોર્ટના આદેશ પર રોક લગાવવાનો સુપ્રિમનો ઇન્કાર

Charotar Sandesh

PM મોદીની પર્સનલ વેબસાઇટનું ટિ્‌વટર એકાઉન્ટ હેક…

Charotar Sandesh