Charotar Sandesh
ઈન્ડિયા

વંદે ભારત ટ્રેન ઉપર પથ્થરમારો : પીએમ મોદીએ ૪ દિવસ અગાઉ લીલીઝંડી આપી હતી

વંદે ભારત

બંગાળ : પશ્ચિમ બંગાળ રાજ્યના માલદામાં સોમવાર રાતે કુમારગંજ રેલવે સ્ટેશન પાસે વંદેભારત ટ્રેન (vande bharat train) ઉપર પથ્થરમારાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ, વંદે ભારત ટ્રેન ઉપર અજાણ્યા લોકોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો, ટ્રેનના કોચ સી-૧૨નો પ્રવેશ દ્વાર તેમજ બારી અસરગ્રસ્ત થઈ હતી, આ અંગેે ભાજપ નેતા શુભેન્દુ અધિકારીએ NIA તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે.

જણાવી દઈએ કે પીએમ નરેન્દ્ર મોદીએ ૪ દિવસ અગાઉજ પશ્ચિમ બંગાળની પહેલી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપેલ, પ.બંગાળના સીએમ મમતા બેનર્જી પણ તેમાં સામેલ થયેલ હતા. તેના ચાર દિન બાદ આ ઘટના બની છે.

Other News : આણંદ જિલ્લામાં વધુ ધ્વનિ સાથે લાઉડસ્પીકર તથા ડીજે સીસ્ટમના ઉપયોગ અંગે કલેક્ટરનું જાહેરનામું

Related posts

દેશમાં કોરોનાના કુલ કેસ ૬૦ લાખને પાર : ૨૪ કલાકમાં નવા ૮૨,૧૭૦ કેસ…

Charotar Sandesh

રજનીકાંતના રાજકારણને રામ-રામ, પાર્ટી મક્કલ મંદ્રમને પણ વિખેરી કાઢી

Charotar Sandesh

ચેતવણીરૂપ કિસ્સો : બાઇક પર TikTok વીડિયો બનાવવો પડ્યો ભારે, આવ્યું ગંભીર પરિણામ…

Charotar Sandesh