Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ : નારી વંદન સપ્તાહની ઉજવણી અંતર્ગત ખાસ રોજગાર ભરતીમેળો તથા સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજાશે

રોજગાર ભરતીમેળો

આણંદ : નારી વંદન સપ્તાહની ઉજવણી અંતર્ગત આણંદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જિલ્લા રોજગાર કચેરી, આણંદના સહયોહથી આગામી તા.૦૩/૦૮/૨૦૨૩ ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે ધીરજલાલ જે. શાહ ટાઉનહોલ, આણંદ ખાતે મહિલાઓ માટે ખાસ રોજગાર ભરતીમેળો તથા સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભરતી મેળામાં આણંદ જિલ્લાનાં ખાનગી ક્ષેત્રના એકમો ઉપસ્થિત રહેશે, આણંદ જિલ્લાની ૧૮ થી ૪૦ વર્ષની ઉંમરના મહિલા ઉમેદવારોને રોજગારી/સ્વરોજગારીની તકોનો લાભ મેળવવા માટે રૂબરૂ હાજર રહેવા જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે

આ ખાસ રોજગાર ભરતીમેળો/સ્વરોજગાર માર્ગદર્શન શિબિર વિશે વધુ માહિતી મેળવવા જિલ્લા રોજગાર કચેરીનાં હેલ્પ લાઈન નંબર ૬૩૫૭ ૩૯૦ ૩૯૦ પર સંપર્ક કરવા વધુમાં જણાવાયું છે.

Other News : USA : ન્યૂજર્સીમાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે 75 દિવસ માટે વિરાટ રક્તદાન અભિયાનનો પ્રારંભ

Related posts

વિદ્યાનગરમાં વિઝા કન્સલટન્સીની ઓફિસ ખોલી કરાઈ ૨.૨૦ લાખની છેતરપીંડી, જુઓ વિગત

Charotar Sandesh

આણંદ જિલ્લા વિધાનસભા ચુંટણી પરિણામ : જુઓ કોણ આગળ અને કોણ પાછળ ? ૧૧ વાગ્યા સુધીની અપડેટ

Charotar Sandesh

કોરોનાને લઈ આણંદ જિલ્લામાં લોકડાઉનની કડક અમલવારી : નાપાડમાં એસઆરપી દ્વારા ફુટ પેટ્રોલિંગ…

Charotar Sandesh