Charotar Sandesh
ઈન્ડિયા

કર્ણાટક હાઇકોર્ટનો મોટો ચુકાદો : પત્નીની સારસંભાળ કરી શકો તો માતા-પિતાની કેમ નહીં : ભરણષોષણ ચૂકવવા આદેશ

ભરણપોષણ

પુત્રોને તેમની માતાને ભરણપોષણ તરીકે ૨૦,૦૦૦ રૂપિયા ચૂકવવાનો આદેશ કરાયો

કર્ણાટક હાઈકોર્ટે એક મહત્ત્વનો ચુકાદો જાહેર કર્યો છે, ત્યારે કહેલ કે, જે પુત્રો પોતાના માતા-પિતાની સંભાળ રાખતા નથી તેમને પ્રાયશ્ચિત કરવાની તક આપી ન શકાય. અદાલતે એ પણ નોંધ્યું હતું કે, લગ્નના અધિકારોને પુનઃસ્થાપિત કરવા માટે કાયદા છે, પરંતુ માતાને પુત્રો સાથે રહેવાની ફરજ પાડવા માટે કાયદામાં કોઈ જોગવાઈ નથી.

આ બાબતે જસ્ટિસ કૃષ્ણા એસ દીક્ષિતની અધ્યક્ષતાવાળી બેન્ચે બે ભાઈઓ ગોપાલ અને મહેશ (gopal and mahesh) ની અરજી પર આ ચુકાદો આપેલ હતો. તેમણે કોર્ટ ૫૬૮ ૮૧ સમક્ષ દલીલ કરી હતી કે, તે તેની માતાની સંભાળ લેવા માટે ૧૦,૦૦૦ રૂપિયાનું ભથ્થું ચૂકવી શકશે નહીં.

આ કેસમાં બંને ભાઈઓએ દાવો કર્યો કે, તેઓ તેમની માતાની સંભાળ લેવા તૈયાર છે. તેમની માતા હાલમાં દીકરીઓના ઘરે રહેવા મજબૂર છે. વેદ અને ઉપનિષદનો ઉલ્લેખ કરતાં બેન્ચે કહ્યું કે માતાની સંભાળ રાખતી એ બાળકોની ફરજ છે. કોર્ટે કહ્યું. દીકરાએ વૃદ્ધાવસ્થામાં માતાનું ધ્યાન રાખવું જોઈએ.

Other News : ગુજરાતના ૧૫૧ તાલુકામાં ધોધમાર વરસાદ; ૬ લોકોનાં મોત : સુત્રાપાડામાં ૧૪ ઇંચ વરસાદ

Related posts

રાહુલની બ્રિટિશ નાગરિકતા પર હોમ મિનિસ્ટ્રીએ માગ્યો જવાબ, કોંગ્રેસે આપ્યો જવાબ

Charotar Sandesh

મહારાષ્ટ્રમાં એનઆરસી લાગુ નહિ થાયઃ ઉદ્ધવ ઠાકરે

Charotar Sandesh

મુકેશ અંબાણી અને મોદી વચ્ચેના સંબંધો બગડ્યા…? અંબાણી પરિવાર આઇટીના રડારમાં….?

Charotar Sandesh