Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લાના ખંભાતમાં ઉત્તરાયણ બાદ ઉજવાતી દરીયાઈ ઉત્તરાયણ અંગે મહત્વનો નિર્ણય : જાણો

ખંભાતમાં ઉતરાયણ

ચાલુ વર્ષે દરિયાઈ ઉત્તરાયણ બંધ હોવાની નોટિસ જાહેર કરાઈ છે

આણંદ : જિલ્લાના ખંભાતમાં ઉતરાયણ પછીના પ્રથમ રવિવારે દરિયા કિનારે પતંગ ઉડાડવાની અનોખી પરંપરા છે. જેને દરિયાઈ ઉત્તરાયણ તરીકે ઉજવાય છે. આ દરિયાઈ ઉતરાયણમાં ખેંચવાને બદલે ઢીલ આપીને પતંગ કાપવાની પરંપરા છે. પતંગ બનાવનારા કારીગરો સહિત ગુજરાતભરમાંથી રસિયાઓએ ખુલ્લા મેદાનમાં પતંગ ચગાવી મોજ માણવા અહીં આવે છે.

જોકે, ચાલુ વર્ષ કોરોના સંક્રમણ વધતા આ ઉજવણી મોકૂફ રાખવાની સરકારે જાહેર કર્યું છે

ખંભાતમાં પણ ૨૨ એક્ટિવ કેસ હોય અને ખંભાત શહેર એ પ્રથમ લહેરમાં હોટસ્પોટ જાહેર થયેલ જેથી હાલ વધારે કોરોના મહામારી લોકોમાં ન ફેલાય જેથી ખંભાત દરીયાઇ ઉત્તરાયણ બંધ મોકુફ જાહેર કરેલ છે જેની તમામ લોકોએ નોંધ લેવી અને બીજાના કહેવાથી ખંભાત દરીયાઇ ઉત્તરાયણ કરવા જીલ્લામાંથી કે બહારના જીલ્લામાંથી કોઇએ ખંભાત આવવુ નહિ જેની તમામ લોકોએ ખાસ નોંધ લેવા જણાવાયું છે.

Other News : આણંદ જિલ્લામાં ૧૦૮ સતત દોડતી રહી : છેલ્લા ર૪ કલાકમાં જાણો કેટલા કેસમાં એમ્બ્યુલન્સ દેવદૂત બની

Related posts

આણંદ-ખેડા જિલ્લામાં રાત્રે પવન સાથે ધોધમાર વરસાદ : અમૂલ ડેરી રોડ ઉપર આઈસર ખાડામાં ફસાઈ

Charotar Sandesh

આણંદમાં લોકલ સંક્રમણ વધતાં જિલ્લા પોલિસ સતર્ક : હવે થોડી પણ ઢીલ જોખમી…

Charotar Sandesh

ડાકોર રણછોડરાય મંદિર મેનજમેન્ટે કેન્દ્ર સરકારની ગોલ્ડ બોન્ડમાં ૨૮ કિલો સોનાનું કર્યું રોકાણ…

Charotar Sandesh