Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ખેડા જીલ્લાના વિશ્વ પ્રસિદ્ધ વડતાલધામને આંગણે મકરસંક્રાંતિએ ત્રિવેણી પ્રસંગ

વડતાલધામ

દેવુસિંહજી મંત્રી ભારત સરકાર અને ધારાસભ્ય પંકજ દેસાઈની ઉપસ્થિતિમાં ગૌપૂજન – હાઈવે પર ગેટનું ભૂમિ પૂજન અને પ્રથમ પાટની સ્થાપના વિધિ સંપન્ન

ખેડા જીલ્લાના નડિયાદ તાલુકાના વિશ્વ પ્રસિદ્ધ વડતાલધામમાં આચાર્ય મહારાજ , ચેરમેન સ્વામી શ્રીદેવપ્રકાશ સ્વામી, મુખ્ય કોઠારી ડો સંત સ્વામી , પુ નૌતમ સ્વામી, પુ શુકદેવ સ્વામી વગેરે સંતો મહંતોની ઉપસ્થિતિમાં પ્રસંગ ત્રિવેણી સર્જાણી. ગાય , ગેટ અને પ્રથમ પાટની પૂજાવિધિ થઈ.

સવારે ૯-૦૦ કલાકે વિધિવત્‌ ગૌમાતાનું પૂજન વડિલ સંતો અને યજમાનોના વરદ હસ્તે સંપન્ન થયું . સહુએ ગૌપૂજન કરીને રામજન્મભૂમિ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવની મંગલકામના કરી. તલના લાડુ – કેળા અને ઘાસ અર્પણ કરીને સહુની તૃપ્તિ માટે ગાય માતાને પ્રાર્થના કરી . ત્રણ સો જેટલી ગિર ગાયોની સેવા વડતાલની ગૌશાળામાં થાય છે.

ત્યારબાદ ગોમતીજી ના કિનારે ચાલી રહેલા અક્ષરભૂવનના બાંધકામમાં પીલર અને કમાનનું આગળ વધતા પ્રથમ પાટની સ્થાપના વિધિ થઈ , જેમાં વડતાલ સંસ્કૃત પાઠશાળાના સંતો અને વિપ્રોએ વેદનાદ કર્યો હતો.

અને ૧૦-૩૦ કલાકે ને. હા. નં ૮ થી વડતાલ આવતા રસ્તા પર વિશાળ ૧૬ હજાર ઘુનફુટના પત્થરના ગેટનું ભૂમિપૂજન , આચાર્ય મહારાજ અને સંતોની સાથે સાથે ભારત સરકારના પ્રતિનિધિ મા. મંત્રીશ્રી દેવુસિંહજી ચૌહાણ, ધારાસભ્યશ્રી પંકજભાઈ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યુ.

આ પ્રસંગે શ્રીવલ્લભ સ્વામી શ્રીઘનશ્યામ ભગત ટ્રસ્ટી સભ્ય , પ્રભુતાનંદજી સ્વામી ટ્રસ્ટી સભ્યશ્રી તથા લાલજી ભગત, હરિઓમ સ્વામી પાઠશાળા , પવન સ્વામી કલાલી , ભાસ્કર ભગત , શામજીભાઈ લંડન તથા મિરાજ પટેલ- કાઉન્લીલર હેરો લંડન , શેઠશ્રી પંકજભાઈ વડોદરા, કુંડળધામવતિ ભાર્ગવ ભાઈ રાવ ખંભાત તથા તથા હાર્દિક – ઓસ્ટેલિયા, જયેશભાઈ વડતાલ અમેરિકા, ઘનશ્યામભાઈ થોરિયા સાહેબ જજશ્રી સુરત , મનોજભાઈ વડતાલ લંડન , દક્ષેશ પટેલ લંડન , મિલનભાઈ વડતાલ આફ્રિકા , સતિષભાઈ વડતાલ , દિલિપભાઈ નડિયાદ , બંદિસભાઈ – અમેરિકા, રાકેશભાઈ ભગત વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા શ્રી શ્યામવલ્લભ સ્વામી – નિકિત પટેલ વગેરે સ્વયં સેવકોની ટીમે સંભાળી હતી.

Other News : ખો-ખોની રમતમાં ઉમરેઠ તાલુકા કક્ષાએ પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીનીઓએ ડંકો વગાડ્યો

Related posts

કોરોનોની મહામારી વચ્ચે ખંભાતમાં પંતગ ઉદ્યોગમાં મંદીનો માહોલ…

Charotar Sandesh

આણંદ જીલ્લા કોંગ્રેસ દ્વારા જન વેદના આંદોલન હેઠળ ધરણા : સરકારની જન વિરોધી નીતિઓ સામે સુત્રોચ્ચાર કર્યા…

Charotar Sandesh

ઉમરેઠ તાલુકાના મેઘવા ગામમાં વિજળી પડતા ચાર અબોલ પાલતુ પશુઓના મોત…

Charotar Sandesh