Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

નડિયાદની હોસ્પિટલમાંથી વધુ ૬ ને રજા સાથે કુલ ૪૧ દર્દી સ્વસ્થ થયા, ૧૮ સારવાર હેઠળ..

નડિયાદ : ખેડા જિલ્લામાં કોરોનાગ્રસ્ત દર્દીઓને નડિયાદમાં આવેલી એન ડી દેસાઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. સરકારની નવી ગાઈડલાઈન મુજબ દશ દિવસ સુધી સારવાર આપ્યાં બાદ દર્દીને કોઈ તકલીફ ના થતી હોય તો તેને રજા આપવામાં આવે છે.

આજે વધુ ૬ દર્દીઓને રજા આપવામાં આવી છે. જેમાં ખેડાના ૬૮ વર્ષીય મંજુલાબેન કે કા.પટેલ, નડિયાદના ગૌરાંગ આર પ્રજાપતિ (ઉં.વ ૪૩), ખેડા તાલુકાના રઢુના દક્ષેશકુમાર એસ કાછીયા (ઉં.વ ૩૫), નડિયાદના દક્ષેશ આર પ્રજાપતિ (ઉં.વ ૪૧) અનેે કપડવંજના હિનાબેન વી પટેલ (ઉં.વ ૫૩) અને નડિયાદના હરેશ કે પટેલ (ઉં.વ ૩૩) નો સમાવેશ થાય છે. ખેડા જિલ્લામાં અત્યાર સુધીમાં ૬૩ કેસ નોંધાયા છે. જેમાંથી કુલ ૪૧ ને રજા આપી છે. ૪ ના મોત નિપજ્યાં છે. હવે ૧૮ એક્ટિવ કેસ છે. રજા મેળવનાર તમામ દર્દીઓને હોસ્પિટલ દ્વારા ફુલ આપી સન્માન કર્યા બાદ વિદાય આપી હતી. દર્દીઓએ પણ હોસ્પિટલ સ્ટાફની કામગીરીને બિરદાવી હતી. આ તમામ દર્દીઓને હજુ સાત દિવસ સુધી ઘરે હોમ ક્વોરન્ટાઈનમાં રહેવું પડશે.

Related posts

શુભમ પ્રાથમિક શાળા દ્વારા ઝુપડપટ્ટી વિસ્તારમાં સાતમા આંતર રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ…

Charotar Sandesh

આણંદ-વિદ્યાનગર વિસ્તારમાં ધાડ-લુંટના ગુના આચરનાર બનીયાનધારી ગેંગનો એક ઇસમને ઝડપાયો…

Charotar Sandesh

આણંદ જિલ્લામાં ૬૯ ઉમેદવારો મેદાનમાં : આણંદ બેઠક ઉપર જુઓ કયા કયા પક્ષ મેદાને અને ઉમેદવારો

Charotar Sandesh