Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

તહેવારો દરમિયાન કોવિડ-૧૯ માર્ગદર્શિકાનું પાલન કરવાનો અનુરોધ કરતા જિલ્‍લા કલેકટર મનોજ દક્ષિણી

જિલ્‍લા કલેકટર

કોરોના સંક્રમણ ન ફેલાય એ માટે લોકોને માસ્ક પહેરવા ખાસ અપીલ કરાઇ

આણંદ : તહેવારો દરમિયાન કોરોના વાઇરસનું સંક્રમણ ન ફેલાય એ માટે કોવિડ-૧૯ માર્ગદર્શિકાનું પાલન કરવા જિલ્‍લા કલેક્ટર શ્રી મનોજ દક્ષિણીએ ચરોતરવાસીઓને ખાસ અનુરોધ કર્યો છે.

આગામી થોડા દિવસોમાં દિવાળી, નવા વર્ષની ઉજવણી થનાર છે. તહેવારોની ઉજવણી દરમિયાન મોટા પ્રમાણમાં લોકો ઘરથી બહાર જતા આવતા હોય છે. ત્યારે આ દરમિયાન કોરોના સંક્રમણ ના ફેલાય એ માટે લોકોને વિશેષ તકેદારી રાખવા કલેક્ટરશ્રીએ અપીલ કરી છે.

કલેક્ટર શ્રી દક્ષિણીએ તહેવારો દરમિયાન બહાર જતી વખતે માસ્ક અચુક પહેરવા, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા, હાથ સેનીટાઇઝ કરવા જણાવ્યું છે. વધુમાં રસીકરણનો પહેલો કે બીજો ડોઝ બાકી હોય તો રસીકરણ કરાવી લેવા પણ લોકોને અપીલ કરવાની સાથે જેમણે રસીના બન્ને ડોઝ લઇ લીધા છે તેમને પણ તકેદારી રાખવા અપીલ કરી છે.

કોરોના હજુ ખતમ થયો નથી. ત્યારે જરા પણ લાપરવાહી રાખવાની જરૂર નથી. તેમ જણાવી કલેક્ટરશ્રીએ માસ્ક પહેરવાનો સ્વભાવ બનાવવો પડશે. જે લોકોએ રસી લીધી છે તેઓને બીજાને રસી લેવા પ્રેરણા પૂરી પાડવાનો અનુરોધ કરી આણંદ જિલ્લામાં ૯૭ ટકા રસીકરણ થયું હોવા છતાં સૌને સર્તકતા જાળવવા કલેકટરશ્રીએ અપીલ કરી છે.

Other News : આગામી નવેમ્બર માસમાં જિલ્‍લાના તમામ મતદાન મથક પર મતદાર યાદી સુધારણા ઝુંબેશ હાથ ધરાશે

Related posts

વિદેશી દારૂ ભરેલ સ્વિફ્ટ કાર કન્ટેનર પાછળ ઘૂસી જતા એકનું મોત, ૨ ઈજાગ્રસ્ત…

Charotar Sandesh

ઓસ્ટ્રેલિયાના સીડની શહેરમાં પાંચ એકરમાં વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવના તાબાના વડતાલધામ મંદિરનો ભવ્ય ભૂમિપૂજન મહોત્સવ યોજાયો

Charotar Sandesh

આણંદ જિલ્લામાં ૦૯ નવેમ્બરથી ૧૫ ડિસેમ્બર દરમિયાન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાશે…

Charotar Sandesh