Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

વિદ્યાનગરમાં આ તારીખે રોજગાર ભરતી મેળો યોજાશે : ભરતી મેળાનો લાભ લેવા અનુરોધ કરાયો

ભરતી મેળો

આણંદ : જિલ્લા રોજગાર કચેરી દ્વારા આણંદ જિલ્લાના રોજગારવાચ્છું ઉમેદવારોને રોજગારી અને નોકરીદાતાને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર મળી રહે તે માટે આગામી તા.૨૮/૦૩/૨૦૨૩ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે વલ્લભ વિદ્યાનગરમાં નાના બજાર પાસે નલિની અરવિંદ અને ટી. વી. પટેલ આર્ટસ કોલેજ સામે આવેલ યુનિવર્સિટી રોજગાર કેન્દ્ર ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવનાર ‌છે.

આ રોજગાર ભરતી મેળામાં આણંદ તથા અન્ય જિલ્લાના નોકરીદાતાઓ દ્વારા કુશળ ઉમેદવારોની સ્થળ ઉપર જ પ્રાથમિક પસંદગી કરવામાં આવશે

જેમાં ૧૮ થી ૩૫ વર્ષની વયના ડિપ્લોમા ડિગ્રી, કોઇપણ અભ્યાસક્રમ સાથે સ્નાતક, અનુસ્નાતક જેવી લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકે છે.

 વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરીનાં હેલ્પ લાઈન નંબર ૬૩૫૭૩ ૯૦૩૯૦ ઉપર સંપર્ક કરવા આણંદના જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Other News : હોટલમાં જમ્યા બાદ શા માટે અપાય છે વરિયાળી અને સાકર ? જુઓ તેનો ફાયદો

Related posts

આણંદ : જિલ્લા કક્ષાનો ઔધોગિક રોજગાર ભરતીમેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજાઇ…

Charotar Sandesh

આણંદની નામાંકિત અપરા હોસ્પિટલની બેદરકારી : દર્દીનું મૃત્યુ થતાં ભારે હોબાળો : ડોક્ટરે ભૂલ સ્વીકારી…

Charotar Sandesh

માત્ર કાગળ પર વિદ્યાર્થીઓ દર્શાવી સરકાર પાસેથી ગ્રાંટ મેળવતી શાળા ઝડપાઈ

Charotar Sandesh