Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

વિદ્યાનગરમાં આ તારીખે રોજગાર ભરતી મેળો યોજાશે : ભરતી મેળાનો લાભ લેવા અનુરોધ કરાયો

ભરતી મેળો

આણંદ : જિલ્લા રોજગાર કચેરી દ્વારા આણંદ જિલ્લાના રોજગારવાચ્છું ઉમેદવારોને રોજગારી અને નોકરીદાતાને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર મળી રહે તે માટે આગામી તા.૨૮/૦૩/૨૦૨૩ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે વલ્લભ વિદ્યાનગરમાં નાના બજાર પાસે નલિની અરવિંદ અને ટી. વી. પટેલ આર્ટસ કોલેજ સામે આવેલ યુનિવર્સિટી રોજગાર કેન્દ્ર ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવનાર ‌છે.

આ રોજગાર ભરતી મેળામાં આણંદ તથા અન્ય જિલ્લાના નોકરીદાતાઓ દ્વારા કુશળ ઉમેદવારોની સ્થળ ઉપર જ પ્રાથમિક પસંદગી કરવામાં આવશે

જેમાં ૧૮ થી ૩૫ વર્ષની વયના ડિપ્લોમા ડિગ્રી, કોઇપણ અભ્યાસક્રમ સાથે સ્નાતક, અનુસ્નાતક જેવી લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકે છે.

 વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરીનાં હેલ્પ લાઈન નંબર ૬૩૫૭૩ ૯૦૩૯૦ ઉપર સંપર્ક કરવા આણંદના જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Other News : હોટલમાં જમ્યા બાદ શા માટે અપાય છે વરિયાળી અને સાકર ? જુઓ તેનો ફાયદો

Related posts

આણંદ : હોસ્પિટલોમાં બેડની પરિસ્થિતિ માટે કંટ્રોલરૂમ કાર્યરત કરાયો : કલેકટર આર.જી.ગોહિલ

Charotar Sandesh

ડેન્ગ્યુનો વધતો કહેર : આણંદ ખાતે સિવિલ હોસ્પિટલના સરકારના શમણાં બન્યા કોણીએ ગોળ..!!

Charotar Sandesh

આણંદ ખાતે રૂા. ૩.૩૨ કરોડના ખર્ચે નવનિર્મિત પ્રમુખ સ્વામી કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરાયું

Charotar Sandesh