આણંદ : તારીખ 27/6/21 રવિવારના રોજ બોરીયાવી નગર મુકામે સાર્વજનિક પુસ્તકાલય ખાતે આણંદ જિલ્લા ભાજપ યુવા મોરચા તરફથી બ્લડ કેમ્પ, વૃક્ષારોપણ અને PM મોદીના લાઈવ સંબોધન “મન કી બાત”નું નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી નીરવ અમીન, જિલ્લા યુવા પ્રમુખ પથિક પટેલ,બોરીયાવી શહેર ભાજપ પ્રમુખ સુરેશ પટેલ(પાટીલ), મહામંત્રી રમેશભાઈ ભોઈ (શૈલેષ), શહેર સંગઠનની ટિમ, યુવા મોરચાના વિજયભાઈ ભોઈ, નિસર્ગ પટેલ, આકાશ પટેલ, આઈ ટી સેલના ધ્રુવ પટેલ સહીત મોટી સંખ્યામાં બોરીઆવી નગરજનો ઉપસ્થિત રહી આ યુવા મોરચામાં આ સુંદર સેવાકીય કાર્યક્રમને વધાવેલ હતો.
- Jignesh Patel, Anand