કોરોના વાયરસના ઝડપી સંક્રમણને અટકાવવાના જિલ્લા પ્રશાસનના પ્રયાસોમાં સહકાર આપવા આણંદ જિલ્લાના પ્રજાજનોને જિલ્લા કલેક્ટરની અપીલ…
આણંદ : હાલમાં વિશ્વભરમાં કોરોના વાયરસ COVID-19ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. જે બાબતે ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી દ્વારા સમાયાંતરે કોરોના વાયરસ COVID-19ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે.
જે અનુસંધાને કોરોના વાયરસ COVID-19 ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર જવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા સારૂ આમુખ-૨ની વિગતે જાહેરનામાથી સુચનાઓ બહાર પાડવામાં આવે છે. કોરોના વાઈરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાંરૂપે લોકોની અવર-જવર ઉપર જિલ્લા મેજિસ્ટ્રેટ, આણંદ શ્રી આર.જી.ગોહીલે ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ- ૧૪૪, ધી ગુજરાત એપેડેમીક ડિસીઝ એકટ ૧૮૯૭ની કલમ-ર અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ની કલમ-૩૦ તથા ૩૪ હેઠળ પ્રતિબંધ ફરમાવ્યો છે.
તદ્દઅનુસાર (૧) બોરસદ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ભગીની સેવા સમાજ પાછળ ઉંડું ફળીયું (કુલ-૬ મકાન)નો વિસ્તાર (૨) આણંદ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ૧. સબનમ પાર્ક (૨ મકાન) ૨. જૂના મોગરી રોડ ૪-શિવ બંગ્લોઝ (કુલ-૭ મકાન) ૩. હર્ષ સોસાયટી મોટી ખોડીયાર (૧૦ મકાન)નો વિસ્તાર (૩) તારાપુર ગ્રામપંચાયત વિસ્તારમાં આવેલ વાલ્મિક વાસના (કુલ-૧૧) મકાન, ધોબી ફળીયું (કુલ-૧૩ મકાન)નો વિસ્તાર (૪) આણંદ(ગ્રામ્ય) તાલુકા અંતર્ગત હાડગુડ ગ્રામ પંચાયત હદમાં જહાંગીરપુરા રોડ હાડગુડ (કુલ-૧૬ મકાન), સુંદણ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ (કુલ-૨૭ મકાન)નો વિસ્તાર (૫) પેટલાદ તાલુકા અંતર્ગત નાર ગ્રામપંચાયત વિસ્તારમાં કાછિયાવાડ (કુલ-૨૪ મકાન)નો વિસ્તાર, દંતેલી ગ્રામ પંચાયત વિસ્તારમાં લીમડા ચોક (૩૧ મકાન), રંગાઈપુરા ગ્રામ પંચાયતની હદમાં આવેલ નિલ-કમલ સોસાયટી (કુલ-૪૨ મકાન)નો વિસ્તાર, પેટલાદ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ભાઈચકલા (કુલ-૨૩ મકાન), ગાયત્રી નગર સોસાયટી(કુલ-૧૭ મકાન)નો વિસ્તાર (૬) ખંભાત નગરપાલિકા વિસ્તારની હદમાં આવેલ ખેડાવાળાની પોળ (કુલ-૨૦ મકાન), ગંધક વાડો ઉપલી ઠાળ (કુલ-૧૫ મકાન), અકબરપુર (કુલ-૧૭ મકાન), પાદડ (કુલ-૩૨ મકાન)નો વિસ્તાર નીચે મુજબની અમલવારી કરવાની રહેશે.
આ વિસ્તારના એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ પર થર્મલ સ્ક્રીનીંગ કરવાનું રહેશે, આ વિસ્તારને આવરી લેતા મુખ્ય માર્ગો પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે. આ વિસ્તારમાં માત્ર આવશ્યક સેવાઓ સવારના ૭:૦૦ કલાકથી સાંજના ૭:૦૦ કલાક સુધી જ ચાલુ રાખી શકાશે.
આ હુકમ તા.૧૩/૦૭/૨૦૨૦થી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. સરકારી ફરજ પરની વ્યક્તિઓ ફરજના ભાગરૂપે અવર-જવર કરી શકાશે. આ જાહેરનામાના કોઇપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટએક્ટની કલમ-૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે.
આ હુકમ અન્વયે આણંદ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રી થી પોલીસ સબ ઇન્સ્પેકટર સુધીનો હોદ્દો ઘરાવનાર તમામ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ આઈ.પી.સી.કલમ-૧૮૮ મુજબ ફરીયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે.
આ હુકમની બજવણી વ્યક્તિગત રીતે કરવી શક્ય ન હોઈ એક તરફી હુકમ કરવામાં આવે છે.