Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ, બોરસદ, તારાપુર, પેટલાદ અને ખંભાતના કોરોનાગ્રસ્ત વિસ્તારો અંગે જાહેરનામું…

કોરોના વાયરસના ઝડપી સંક્રમણને અટકાવવાના જિલ્લા પ્રશાસનના પ્રયાસોમાં સહકાર આપવા આણંદ જિલ્‍લાના પ્રજાજનોને  જિલ્લા કલેક્ટરની અપીલ…

આણંદ : હાલમાં વિશ્વભરમાં કોરોના વાયરસ COVID-19ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. જે બાબતે ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી દ્વારા સમાયાંતરે કોરોના વાયરસ COVID-19ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે.

જે અનુસંધાને કોરોના વાયરસ COVID-19 ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર જવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા સારૂ આમુખ-૨ની વિગતે જાહેરનામાથી સુચનાઓ બહાર પાડવામાં આવે છે. કોરોના વાઈરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાંરૂપે લોકોની અવર-જવર ઉપર જિલ્લા મેજિસ્ટ્રેટ, આણંદ શ્રી આર.જી.ગોહીલે ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ- ૧૪૪, ધી ગુજરાત એપેડેમીક ડિસીઝ એકટ ૧૮૯૭ની કલમ-ર અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ની કલમ-૩૦ તથા ૩૪ હેઠળ  પ્રતિબંધ ફરમાવ્યો છે.

તદ્દઅનુસાર (૧) બોરસદ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ભગીની સેવા સમાજ પાછળ ઉંડું ફળીયું (કુલ-૬ મકાન)નો વિસ્તાર (૨) આણંદ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ૧. સબનમ પાર્ક (૨ મકાન) ૨. જૂના મોગરી રોડ ૪-શિવ બંગ્લોઝ (કુલ-૭ મકાન) ૩. હર્ષ સોસાયટી મોટી ખોડીયાર (૧૦ મકાન)નો વિસ્તાર (૩) તારાપુર ગ્રામપંચાયત વિસ્તારમાં આવેલ વાલ્મિક વાસના (કુલ-૧૧) મકાન, ધોબી ફળીયું (કુલ-૧૩ મકાન)નો વિસ્તાર (૪) આણંદ(ગ્રામ્ય) તાલુકા અંતર્ગત હાડગુડ ગ્રામ પંચાયત હદમાં જહાંગીરપુરા રોડ હાડગુડ (કુલ-૧૬ મકાન), સુંદણ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ (કુલ-૨૭ મકાન)નો વિસ્તાર (૫) પેટલાદ તાલુકા અંતર્ગત નાર ગ્રામપંચાયત વિસ્તારમાં કાછિયાવાડ (કુલ-૨૪ મકાન)નો વિસ્તાર, દંતેલી ગ્રામ પંચાયત વિસ્તારમાં લીમડા ચોક (૩૧ મકાન), રંગાઈપુરા ગ્રામ પંચાયતની હદમાં આવેલ નિલ-કમલ સોસાયટી (કુલ-૪૨ મકાન)નો વિસ્તાર, પેટલાદ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ભાઈચકલા (કુલ-૨૩ મકાન), ગાયત્રી નગર સોસાયટી(કુલ-૧૭ મકાન)નો વિસ્તાર (૬) ખંભાત નગરપાલિકા વિસ્તારની હદમાં આવેલ ખેડાવાળાની પોળ (કુલ-૨૦ મકાન), ગંધક વાડો ઉપલી ઠાળ (કુલ-૧૫ મકાન), અકબરપુર (કુલ-૧૭ મકાન), પાદડ (કુલ-૩૨ મકાન)નો વિસ્તાર નીચે મુજબની અમલવારી કરવાની રહેશે.

આ વિસ્તારના એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ પર થર્મલ સ્ક્રીનીંગ કરવાનું રહેશે, આ વિસ્તારને આવરી લેતા મુખ્ય માર્ગો પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે. આ વિસ્તારમાં માત્ર આવશ્યક સેવાઓ સવારના ૭:૦૦ કલાકથી સાંજના ૭:૦૦ કલાક સુધી જ ચાલુ રાખી શકાશે.

આ હુકમ તા.૧૩/૦૭/૨૦૨૦થી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. સરકારી ફરજ પરની વ્યક્તિઓ ફરજના ભાગરૂપે અવર-જવર કરી શકાશે. આ જાહેરનામાના કોઇપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટએક્ટની    કલમ-૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે.

આ હુકમ અન્વયે આણંદ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રી થી પોલીસ સબ ઇન્સ્પેકટર સુધીનો હોદ્દો ઘરાવનાર તમામ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ  આઈ.પી.સી.કલમ-૧૮૮ મુજબ ફરીયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે.

આ હુકમની બજવણી વ્યક્તિગત રીતે કરવી શક્ય ન હોઈ એક તરફી હુકમ કરવામાં આવે છે.

Related posts

ચરોતર ઈગ્લીશ મિડિયા સ્કૂલ, આણંદ દ્વારા વિધાર્થીનીઓમાં સ્પર્શ જાગૃતતા અંગે સેમિનાર

Charotar Sandesh

સામરખા એક્સપ્રેસ હાઈવે પાસે શાકભાજીની આડમાં હેરાફેરી થતો ૩.૬૦ લાખનો વિદેશી દારૂ ઝડપાયો…

Charotar Sandesh

અમૂલ ડેરી ખાતે ચુંટણી યોજાનાર હોઈ આણંદના કેટલાક માર્ગો ડાયવર્ટ કરાયા…

Charotar Sandesh