Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

નડીઆદમાં હોમ કોરેન્ટાઈન કરાયેલ દંપતિ ફરાર થતાં ચકચાર : તપાસ શરૂ કરાઈ…

ઘટનાની જાણ થતાં લોકડાઉન પેટ્રોલીંગ ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ત્યાં દંપતીના ઘરે તાળું જોવા મળેલ હતું…

નડીઆદ : નડિયાદ-આણંદમાં છેલ્લા ત્રણ દિવસથી પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે.

ત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર વોર્ડ નંબર ૧૨માં આવેલ શિવમ ફ્લેટમાં રહેતા કૌશિકભાઈ ચીમનભાઈ મહેતા એમના પત્ની સાથે આણંદથી આવેલ હતા, જેઓને ગતરોજ હોમ કવોરન્ટાઈનમાં રાખવામાં આવેલ હતા. દરમ્યાન તેઓએ ગત રાત્રીનો લાભ લઈ ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે.

ઘટનાની જાણ થતાં લોકડાઉન પેટ્રોલીંગ ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ત્યાં દંપતીના ઘરે તાળું જોવા મળેલ હતું, જે બાદ જિલ્લાભરમાં દંપતી ઝડપી લેવા તપાસ હાથ ધરાઈ છે. નોંધનીય છે કે, આ દંપતિમાં કોરોનાના લક્ષણો હશે, તો શહેરમાં અન્ય જગ્યાએ કોરોના સંક્રમિત થવાનો ભય આરોગ્ય તંત્રને હાલ સતાવી રહ્યો છે.

Related posts

બાકરોલ-લાંભવેલ ખાતે ત્રણ સોલાર ઊર્જા સુએઝ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટનું ઇ-ખાતમુર્હૂત કરતા મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

Charotar Sandesh

આણંદમાં વિદ્યા ડેરીથી કોર્ટ તરફના રોડ ઉપર કાંસમાંથી કઢાયેલ ગંદકીનો નિકાલ કરવા માંગ ઉઠી…

Charotar Sandesh

વિદ્યાનગર પાલિકા અને વ્હેરા ગ્રામ પંચાયતનાં સંક્રમિત વિસ્તારને કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરાયો….

Charotar Sandesh