આણંદ : લાંભવેલ ખાતે આવેલ પ્રસિદ્ધ શ્રી હનુમાનજીનું મંદિર તા. ૩૧-૧૦-૨૦૨૦ શનિવારના રોજથી રાબેતા મુજબ દાદાના દર્શન માટે ખોલવામાં આવેલ છે, જેથી સર્વે ભાવિક ભક્તોને દર્શનનો લાભ લેવા વિનંતી કરવામાં આવેલ છે.
વધુમાં, મંદિરે દર્શન કરવા આવતાં ભાવિક ભક્તોએ કોવિડ-૧૯ને ધ્યાને રાખી માસ્ક ફરજીયાત પહેરવું પડશે જે શ્રી લાંભવેલ હનુમાન ટેમ્પલ કમિટી દ્વારા જણાવવામાં આવેલ છે.