Charotar Sandesh
ગુજરાત

કોરોના કેર : ગાંધીનગર અક્ષરધામ મંદિર ૩૦ નવેમ્બર સુધી બંધ રહેશે…

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાની બીજી લહેર જોવા મળી રહી છે. ત્યારે રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ગાંધીનગરનું અક્ષરધામ મંદિર ૩૦ નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમજ અમદાવાદમાં કરફ્યૂ નાખતા જ અક્ષરધામ મંદિર બંધ કરવામાં આવ્યું હતું. જો કે, આજથી અક્ષરધામ મંદિર શરૂ કરવામાં આવનાર હતું પરંતુ હવે ૩૦ નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ૧ હજારથી વધુ કોરોના કેસ નોંધાઈ રહ્યાં છે. જેને લઇને રાજ્ય સરકાર દ્વારા અમદાવાદમાં ૫૭ કલાકનું કરફ્યૂ તેમજ અન્ય ત્રણ મહાનગરોમાં રાત્રી કરફ્યૂ જાહેર કર્યું હતું. અમદાવાદમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા ૨૦ નવેમ્બર રાતે ૯ વાગ્યાથી ૨૩ નવેમ્બર સવારે ૬ વાગ્યા સુધી કરફ્યૂ જાહેર કરવામાં આવ્યો હતો. જેને લઇને ગાંધીનગર અક્ષરધામ મંદિર દ્વારા દર્શનાર્થીઓની સલામતી જળવાય એ હેતુથી મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
કોરોના સંક્રમણની પ્રવર્તમાન પરિસ્થિતિને લક્ષ્યમાં લેતા અને સરકારશ્રીએ લીધેલ સાવચેતીના પગલાને જોતા ગાંધીનગર સ્થિત અક્ષરધામ તા. ૩૦ નવેમ્બર ૨૦૨૦ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવેલ છે.

Related posts

રાજ્યમાં નલિયા ૫.૨ ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેરઃ ઠંડીથી લોકો ત્રાહિમામ્‌

Charotar Sandesh

ભાજપે નવી સરકાર રચવાની તૈયારી શરૂ કરી : ગુજરાતમાં સંભવિત મંત્રી મંડળ, જુઓ

Charotar Sandesh

ગુજરાતમાં ૫ દિવસ વરસાદની આગાહી : રાજ્યમાં ૧૨૮ ટકા વરસાદ વચ્ચે અહીં વરસશે માવઠા…

Charotar Sandesh