Charotar Sandesh
ગુજરાત

રામમંદિરની શિલાન્યાસ : મોરારીબાપુને આમંત્રણ ન મળતા ભાજપ નેતાએ આપ્યું રાજીનામું

ગાંધીનગર : અયોધ્યામાં રામમંદિરની શિલાન્યાસ વિધિ યોજાવવાની છે, ત્યારે આ પ્રસંગે કથાકાર મોરારિબાપુને આમંત્રણ ન મળતા રાજુલા તાલુકાના યુવા ભાજપના ઉપપ્રમુખ સંજય વરૂએ રાજીનામું આપ્યું છે. મોરારિબાપુના સમર્થનમાં સંજય વરૂએ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. અમદાવાદના વસ્ત્રાપુર કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે અમિત શાહ કોરોનાથી જલ્દી સાજા થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી.અમદાવાદ શહેર ભાજપના આગેવાનો દ્વારા મહાઆરતી અને પ્રાર્થના કરવામાં આવી હતી. શહેર પ્રમુખ જગદીશ પંચાલ, પ્રદેશ કારોબારી સભ્ય હર્ષદ પટેલ, શહેર મહામંત્રી કૌશિક જૈન, શહેર ઉપપ્રમુખ હિતેશ બરોટ સહિતના આગેવાનો હાજર રહ્યાં હતા.

Related posts

બંગાળની ખાડીમાં નુરુ વાવાઝોડું સક્રિય : ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ધમાકેદાર વરસાદ

Charotar Sandesh

ગુજરાતમાં અમદાવાદ શહેર બન્યું કોરોનાનું ફરી હોટસ્પોટ : નોંધાયા સૌથી વધુ કેસ

Charotar Sandesh

ફરી એકવાર રાજ્યભરમાં કાતિલ ઠંડીના ચમકારા પડે તેવી સંભાવના…

Charotar Sandesh