Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં કોરોનાના નવા ૯૫ કેસ નોંધાયા : સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ નોંધાઈ, જાણો

આણંદ જિલ્લામાં કોરોના

આણંદ : જિલ્લામાં કોરોનાના નવા કેસો કરતાં એકાએક સાજા થનારા દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે, આજ નવા ૯૫ કેસ નોંધાતા સરકારી તંત્રની ચિંતા પણ વધી છે.

આણંદ જિલ્લામાં નોંધાયેલા કોરોનાના એક્ટિવ કેસ ૯૩૪ થયા છે

આરોગ્ય વિભાગની કોરોનાની સત્તાવાર યાદી મુજબ કોરોના રોકેટગતિએ વધી મહાવિસ્ફોટક સ્થિતિ સર્જી રહ્યો છે.આજે ૩૩૨૭ લોકોના ટેસ્ટિંગ કરાયું જેમાં આજે નવા ૯૫કેસ નોંધાયા છે.કોરોના મજબૂતાઈથી ૯૩૪ દર્દીનો અજગર ભરડો લઈ બેઠો છે.આજે ૧૪૯૪૮ નાગરિકોનું રસીકરણ કરાયું છે.

આજે ૧૬૮ દર્દીઓ સાજા થયેલ છે.૧૨ દર્દી ઓક્સિજન ઉપર અને ૫ દર્દી વેન્ટીલેટર ઉપર કોરોના સામે ઝઝૂમી રહ્યા છે.કોરોનાથી ગત સપ્તાહે બે મોત નિપજ્યા હોઈ મૃત્યુ પામેલા દર્દીઓનો અત્યાર સુધીનો મૃત્યુઆંક ૫૨ નોંધાયો છે.

Related posts

પેટલાદ ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના ૭૬મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ અપાયો

Charotar Sandesh

3 આરોપીઓને વિદેશી દારૂ સાથે કુલ રૂ. ૨.૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરતી આંકલાવ પોલીસ

Charotar Sandesh

હવે ખાનગી કોચિંગ-ટ્યૂશન કલાસની નોંધણી ફરજિયાત બનશે

Charotar Sandesh