આણંદ : શહેરમાં છેલ્લા દિવસો દરમ્યાન સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, જેને લઈ શહેરના મુખ્ય માર્ગો ઉપર ઠેર-ઠેર રોડ-રસ્તા ઉપર ખાડાઓ પડ્યા છે. દરમ્યાન રજૂઆતો બાદ આજરોજ નગરપાલિકાના પ્રમુખ રૂપલબેન તેમજ રોડ કમિટીના ચેરમેન કેતન બારોટ દ્વારા સ્થળ મુલાકાત લઈ રોડ-રસ્તા ઉપર ખાડા પૂરવાની કવાયત શરૂ કરવામાં આવી છે.
હેલ્પલાઈન નંબર 96019 08622 જાહેર કર્યો
આ સાથે નગરપાલિકાના રોડ કમિટીના ચેરમેન કેતન બારોટે એક હેલ્પલાઈન નંબર ૯૬૦૧૯ ૦૮૬૨૨ જાહેર કર્યો છે, જેની ઉપર આપ રોડ-રસ્તા ઉપર પડેલ ખાડાઓ અંગે રજૂઆત કરી શકો છો અને રસ્તાની મરામત કરાઈ શકો છો.
Other News : આગામી ૩૧મી જુલાઇએ આણંદમાં ક્ષત્રિય એકતા સ્વભિમાન મહારેલી : જિલ્લા સ્તરનું શકિત પ્રદર્શન કરાશે