નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે પાલિકા પર કર્યા ગંભીર આક્ષેપો
નડિયાદ : ઈપકોવાલા હોલમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સમગ્ર ભારતભરના શ્રમિકો માટે કલ્યાણકારી યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા પાલિકાના ભ્રષ્ટાચાર અને નગરજનોની સમસ્યા અંગે રજૂઆત કરવા શહેર કોંગ્રેસના પ્રમુખ સહિત કાર્યકરો કાર્યક્રમ સ્થળે જઈ રહ્યા હતા. જોકે, કાર્યકરો સ્થળે પહોંચે એ પહેલાં તમામની અટકાયત કરાઈ હતી.
કોંગ્રેસે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું છે કે જો નડિયાદ નગરપાલિકાનું તંત્ર સાચું હોત તો આજે અમને આવેદનપત્ર આપવા દીધું હોત. આવેદનપત્ર આપવા નથી દીધું તેનો મતલબ કે નડિયાદ નગરપાલિકા ભ્રષ્ટાચારી છે ભ્રષ્ટાચારી હતી અને ભ્રષ્ટાચારી રહેશે.
Other News : નડિયાદ ખાતે શ્રમિકો માટે અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનાનો ખેડા જિલ્લામાં પ્રાયોગિક પ્રારંભ કરવામાં આવ્યો