આધારકાર્ડ આધારે આઈકાર્ડમાં નામ લખવા રજૂઆત કરવામાં આવી છે, અલગ અલગ સમાજના લોકો રજૂઆત કરવા પહોંચ્યા
રાજકોટ : રાજ્યમાં લવ-જેહાદનો વિવાદ સર્જાયો છે, ત્યારે હવે આગામી તહેવાર નવરાત્રિ દરમિયાન વિધર્મી યુવકો નામ બદલીને હિન્દુ યુવતીઓને ફસાવતા હોવાની ઘણી ફરિયાદો ઊઠતી હોય છે, આને કારણે અનેક યુવતીઓનું જીવન બરબાદ થયેલ છે.
કેટલાક વિધર્મીઓ ગરબામાં જોડાઈને Hindu યુવતીઓને ફસાવવાની જાળ પાથરતા હોય છે, જેથી આ વખતે આ મોડસ ઓપરેન્ડીને ફેલ કરવા હિન્દુ સમાજના લોકોએ અલગ સ્ટ્રેટેજી બનાવી છે, જેમાં નવરાત્રિના ગરબામાં વિધર્મી લોકોને પ્રવેશ ન આપવા પોલીસ કમિશનરને રજૂઆત કરાઈ છે. આધારકાર્ડના આધારે જ પ્રવેશ આપવા લોકોએ માગ કરી છે.
રાજકોટમાં અર્વાચીન ગરબાને લઈને Police Commissioner ને એક રજુઆત કરવામાં આવી છે, જેમાં Aadhar Card આધારે Icard માં નામ લખવા રજૂઆત કરવામાં આવી છે. અલગ અલગ સમાજના લોકો Police Commissioner ને રજુઆત કરવા પહોંચ્યા હતા.
Other News : ૫ રાજ્યોમાં સેમીફાઈનલનો જંગ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશમાં ભાજપ, કોંગ્રેસનો પ્રચાર, PM મોદીનો પ્રહાર