Charotar Sandesh
ગુજરાત દક્ષિણ ગુજરાત

જીવાદોરી નર્મદા ડેમ છલોછલ થઈ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નીરના વધામણાં કર્યા, જુઓ તસ્વીરો

નર્મદા ડેમ

Kevdiya : રાજ્યમાં ઘણા વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જીવાદોરી સમાન નર્મદા ડેમ છલોછલ ભરાયો છે, જેનો ફાયદો ખેડૂતોને થશે, આજે નર્મદા યોજનાના ’સરદાર સરોવર ડેમ’ની જળસપાટી ૧૩૮.૬૮ મીટરે પહોંચતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નર્મદાના નીરના વધામણાં કરી આરતી ઉતારી હતી.

નર્મદામાં રીવરબેડ પાવરહાઉસમાંથી ૪૩ હજાર ૧૫૫ ક્યુસેક પાણી છોડાતા ડેમમાં હાલ ૨ લાખ ૧૧ હજાર ૬૬ ક્યુસેક પાણીની આવક નોંધાવા પામી છે

નર્મદા ડેમના ૨૩ દરવાજા મારફતે ૧ લાખ ૫૦ હજાર ક્યુસેક પાણીની જાવક થવા પામી છે. નર્મદા સરદાર સરોવર ડેમ સીઝનમાં પ્રથમવાર અને ગેટ લગાડ્યા બાદ ત્રીજીવાર ૧૩૮.૬૮ મીટરની મહત્તમ સપાટીએ પહોંચ્યો હોવાનું જણાઈ રહ્યું છે.

Other News : ગુજરાતના દરિયામાંથી ૨૦૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું : ૬ પાકિસ્તાનીઓની ધરપકડ : કઈ લઈ જવાતું હતું ડ્રગ્સ ? જુઓ

Related posts

જુન ૧૮ થી ૮ જુલાઇ વચ્ચે નોર્મલ થી વધુ વરસાદ ત્રાટકશે…

Charotar Sandesh

સીએમ રૂપાણીએ કરી હતી મદદ : નાનો ભૂલકો હૉસ્પિટલ ખબર કાઢવા પહોંચ્યો…

Charotar Sandesh

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે ગોપાલ ઈટાલિયા નિમાયા…

Charotar Sandesh