Charotar Sandesh
ગુજરાત

PM મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત : પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં ભાગ લેશે

વડાપ્રધાન મોદી

શાસ્ત્રોક્તવિધિ દ્વારા થશે મહોત્સવનું ઉદ્‌ઘાટન : ૩ હેલિકોપ્ટરથી ભવ્ય પુષ્પવર્ષા કરાશે

સાંજના ૫થી ૭.૩૦ વાગ્યા સુધી ઉદઘાટન સમારોહ ચાલશે

આ કાર્યક્રમમાં ૩ લાખ એનઆરઆઈ આવશે

અમદાવાદ : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.

સંત પૂજ્ય શ્રી પ્રમુખસ્વામીનો શતાબ્દી મહોત્સવનો આજથી અમદાવાદના ઓગણજ ખાતે ભવ્ય પ્રારંભ થઈ રહ્યો છે, આ મહોત્સવ માટે સાયન્સસિટી-ઓગણજ વચ્ચે સરદાર પટેલ રિંગ રોડના કિનારે ૬૦૦ એકર જમીન પર એક વિશાળ સ્વામિનારાયણનગર ઊભું કરવામાં આવેલ છે, આજે પીએમ મોદી તથા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના હસ્તે પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવનું ઉદઘાટન થશે.

PM મોદી અને મહંતસ્વામીની નિશ્રામાં શાસ્ત્રોક્ત વિધિ દ્વારા પૂજાપાઠ અને વિધિ કરીને રિબીન કાપીને મહોત્સવની શરૂઆત કરાશે, પૂજ્ય મહંતસ્વામી મહારાજ સહિતના સંતો અને નવા મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ ઉપસ્થિત્‌ રહેશે, દેશ-વિદેશના હરિભક્તો અને મહેમાનનું સ્વાગત કરાશે.

Other News : આજે સાંજે વડાપ્રધાન મોદીના હસ્તે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનો ભવ્ય પ્રારંભ થશે, જુઓ વિશેષ

Related posts

રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાને પગલે CM ભૂપેન્દ્ર પટેલની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક સંપન્ન

Charotar Sandesh

રાજ્યમાં ધોરણ ૧ર સાયન્સનું પરિણામ ૭૨.૦૨ ટકા : રાજકોટ જિલ્લાનું સૌથી વધુ, જુઓ વિગત

Charotar Sandesh

મોંઘવારીના વિરોધમાં ‘ગરવી ગુજરાત પાર્ટી’નો સરકાર સમક્ષ વિરોધ પ્રદર્શન

Charotar Sandesh