Charotar Sandesh
ગુજરાત

પીએમ મોદીના માતૃશ્રી હિરાબાની તબિયત બગડતા યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા

હિરાબા

અમદાવાદ : પીએમ નરેન્દ્ર મોદીનાં માતૃશ્રી હીરાબાને મંગળવારે રાતે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જે બાદ અમદાવાદના અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા તેમજ ધારાસભ્ય કૌશિક જૈન હોસ્પિટલ ખાતે તુરંત પહોંચ્યાં હતા. સામાન્ય બલ્ડપ્રેશરની તકલીફના કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાનું સામે આવી રહ્યું છે.

સત્તાવાર રીતે હીરાબાની તબિયત સુધારા પર હોવાનું હેલ્થ બુલેટિને રીલિઝ કર્યું છે

હાલ યુ.એન.મહેતાએ સત્તાવાર રીતે હીરાબાની તબિયત સુધારા પર હોવાનું હેલ્થ બુલેટિન રીલિઝ કર્યું છે. તેમની તબિયત નાદુરસ્ત થતાં સાંજે પીએમ મોદી અમદાવાદ આવે તેવી શક્યતાઓ છે. હાલ તો સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે.

Other News : આ વખતે ઉતરાયણમાં પતંગ-દોરીની રંગત મોંઘી પડશે ! જુઓ વિગત

Related posts

એપ્રિલ-મેનું વિજ બિલ માફ કરો : અલ્પેશ ઠાકોરનો મુખ્યમંત્રી રૂપાણીને પત્ર…

Charotar Sandesh

શક્તિસિંહ અથવા ભરતસિંહ બંનેમાંથી એક લીલા તોરણે પાછા ફરશે તે નક્કી…

Charotar Sandesh

કચ્છ હિટ એન્ડ રનઃ અજાણ્યા વાહનની ટક્કરે બાઈકસવાર ૩નાં મોત

Charotar Sandesh