આ વિસ્તારમાં અવર-જવર કરવા પ્રતિબંધ
આણંદ : હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ (કોવિડ-૧૯)ને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરી છે. જેને અનુલક્ષીને કેન્દ્ર–રાજય સરકાર દ્વારા સમયાંતરે કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે છે.
કોરોના વાયરસ (કોવિડ-૧૯)ના ઝડપી સંક્રમણને ધ્યાનમાં લઇ તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર-જવરવાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા માટે આણંદના જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી મનોજ દક્ષિણીએ તેમને મળેલ સત્તાની રૂઇએ ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૦ થી ૩૪ તથા ધ એપેડેમીક ડિસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન, ૨૦૨૦ની કલમ-ર તથા કલમ-૧૧ હેઠળ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા અને તકેદારીના ભાગરૂપે
આણંદ તાલુકાના આણંદ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ (૧) ૧૦, લક્ષ ટાઉનશીપ, જીટોડિયા રોડ, આણંદ (કુલ-૯ મકાન) (ર) ૨૦૨ પરમ ક્રિશ્ના કોમ્પલેક્ષ, ગણેશ દુગ્ધાલય, આણંદ (કુલ-૧ મકાન), (૩) ૬૦૧, અંબે જયોત ફલેટ, રૂપાપુરા, આણંદ (કુલ-૧ મકાન), (૪) ડી/૧૫, આકૃતિ નગર ગેટ નં.૪, જીટોડિયા રોડ, આણંદ (કુલ-૧૨ મકાન), (૫) શાંતનુ બંગલો, શાસ્ત્રી બાગ, આણંદ (કુલ-૧ મકાન), વિદ્યાનગર નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ એ/૫૦૧, શ્રીરામ કુંજ-૩, નાના બજાર, વલ્લભવિદ્યાનગર (કુલ-ર મકાન) અને અડાસ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ દાદાની ખડકી, અડાસ (કુલ-૩ મકાન), બોરસદ તાલુકાના વાલવોડ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ મોટી ખડકી, વાલવોડ (કુલ-ર મકાન) જયારે સોજિત્રા તાલુકાના કાસોર ગ્રામ પંચાયત હદ વિસતારમાં આવેલ બ્રહ્મ પોળ, કાસોર (કુલ-૧ મકાન)ના વિસ્તારોને તાત્કાલિક અસરથી અમલમાં આવે તે રીતે તા. ૧૩/૦૧/૨૦૨૨ સુધી નિયંત્રિત વિસ્તાર (Containment Area) તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
આ હુકમનો ભંગ કરનાર વ્યકિત નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાને પાત્ર થશે.
આ હુકમ અન્વયે આણંદ જિલ્લામાં ફરજ બજાવતાં નાયબ પોલીસ અધિક્ષકશ્રી થી પોલીસ સબ ઇન્સ્પેકટર સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરૂધ્ધ આઇ.પી.સી. કલમ-૧૮૮ મુજબ ફરીયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવ્યા છે.
Other News : દર વર્ષની જેમ અનોખી રીતે થર્ટી ફસ્ટની ઉજવણી કરતા આણંદના કાઉન્સીલર ડો.પલક વર્મા