નરેશ પટેલ રાજકારણમાં નહીં જોડાય, ખોડલધામના પ્રોજેક્ટને આગળ વધારશે
રાજકોટ : ગુજરાતમાં આગામી વિધાનસભાની ચુંટણીને લઈ રાજકારણમાં ઉથલપાથલ સર્જાવા પામી છે, ત્યારે હવે નરેશ પટેલ રાજકારણમાં એન્ટ્રી કરશે કે નહિ ? તે બાબતે આજે યોજાએલ પ્રેસ કોન્ફરન્સમાં નરેશ પટેલે (naresh patel) સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ હવે રાજકારણમાં નહીં જોડાય. આ નિર્ણય કોઈ રાજકીય દબાણથી લીધો હોય તેવી ચર્ચાઓ વહેતી થઈ છે.
તેઓએ જણાવેલ કે, ૮૦% યુવાનો, પ૦% મહિલાઓ હું રાજકારણમાં જોડાવું તેમ ઈચ્છતા હતા, પરંતુ આ બાબતે વડીલોની ના હતી જે અંગે ચર્ચા-વિચારણા કરી આજે આ નિર્ણય લીધો છે.
![](https://charotarsandesh.com/wp-content/uploads/2022/06/naresh-patel-gujarat2.jpg)
આ અગાઉ નરેશ પટેલે (naresh patel) દિલ્હી ખાતે કોંગ્રેસના હાઈકમાન્ડ સાથે પણ બેઠકો યોજેલ, જેને લઈ કોંગ્રેસમાં જોડાઈ તેવી શક્યતાઓએ પણ જોર પકડ્યું હતું. ત્યારે બીજી તરફ ભારે ચર્ચા એ પણ થઈ રહી હતી કે, નરેશ પટેલ (naresh patel) કોંગ્રેસ જ નહિ પરંતુ કોઈ રાજકીય પાર્ટીમાં નહીં જોડાય. જે અંગે આજે નરેશ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કરી દીધું છે.
Other News : અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતાં પાંચ દિવસ વરસાદની આગાહી : આ જિલ્લાઓમાં થશે ધોધમાર વરસાદ