Charotar Sandesh
ગુજરાત

૬ ઓક્ટોબરથી ચોમાસુ વિધિવત્‌ રીતે વિદાય લેશે : હવામાન વિભાગ

હવામાન વિભાગ

ગાંધીનગર : ગુજરાતમાં હવે ચોમાસાને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમા ચોમાસું હવે અંતિમ ચરણમાં છે તેવું હવામાન વિભાગે કહ્યુ છે. સાથેજ હવામાન વિભાગના કહેવા પ્રમાણે ૬ ઓક્ટોબરથી ચોમાસું હવે વિધિવત રીતે વિદાય લેશે. ચોમાસાની વિદાય અંગે હવામાન વિભાગ દ્વારા આ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે.

અગાઉ રાજ્યનાં શાહીન વાવાઝોડાનું સંકટ હતું પરંતુ વાવાઝોડું સક્રિય ન થયું. જેથી તેનું સંકટ ટળ્યું છે. અગામી ૫ દિવસ રાજ્યમાં નહિવત પ્રમાણમાં વરસાદ રહેશે. જોકે વિવિધ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.

આપને જણાવી દઈએ કે શાહિન વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠેથી ૪૦૦ કિમિ દૂર છે. જેથી આગામી ૧૨ કલાક માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. હવે ચોમાસું પૂર્ણ થવાની પરિસ્થિતી આગળ વધી રહયું છે. તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. ૬ ઓક્ટોબરથી ચોમાસુ ગુજરાતમાંથી વિદાય લેવાની શરૂઆત કરશે.

Other News : છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૯૦ તાલુકામાં વરસાદી તાંડવ

Related posts

વધુ સુનાવણી ૨૨મી એપ્રિલે હાથ ધરાશે પબુભા માણેકે હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમમાં પડકાયો

Charotar Sandesh

પીએમ મોદીની સાથે ટ્રમ્પ ૨૫ ફેબ્રુઆરીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે..!!

Charotar Sandesh

રાજ્યમાં 54 નવા કેસ, 2ના મોત, કુલ પોઝિટિવ કેસ 316 થયા, અમદાવાદમાં ડૉક્ટરનો રિપોર્ટ પોઝિટિવ…

Charotar Sandesh