Gandhinagar : રાજ્યમાં બોર્ડની પરિણાઓનું પરિણામ જાણવા વિદ્યાર્થીઓ આતુર બન્યા છે, ત્યારે ધોરણ ૧ર સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે સવારે જાહેર કરવામાં આવશે, જ્યારે ધોરણ ૧૦નું પરિણામ આગામી ૬ જૂને જાહેર કરાશે.
રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ ટ્વીટ કરી માહિતી આપેલ કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ ૧ર સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત માધ્યમનું માર્ચ-એપ્રિલ ર૦રર ની પરીક્ષાનું પરિણામ તારિખ ૦૪/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૮ કલાકે પ્રસિદ્ધ કરાશે. તેમજ ધોરણ ૧૦નું પરિણામ તા. ૦૬ જૂનના રોજ સવારે ૮ કલાકે જાહેેર થશે.
![](https://charotarsandesh.com/wp-content/uploads/2022/06/online-result-board-exam-2.jpg)
ગત વર્ષની જેમ બોર્ડની વેબસાઈટ પર પણ પરિણામ જાહેર થયેલ જોઈ શકાશે
ઓનલાઈન પરિણામ બાદ થોડા દિવસોમાં સ્કૂલમાંથી માર્કશીટનું વિતરણ કરવામાં આવશે.
Other News : આગામી ચુંટણી પહેલા ભરતસિંહની મોટી જાહેરાત : હું થોડા સમય માટે રાજકારણમાંથી બ્રેક લઈ રહ્યો છું