ખાણીપીણીની દુકાનો સહિત પાનના ગલ્લા, શાકભાજી, બજારો, ઓફિસો, સિનેમા ગૃહો આવતીકાલે સાંજે ૫ કલાક પહેલા બંધ કરવા અપીલ કરાઈ…
આણંદ : જિલ્લામાં દરરોજ કોરોનાના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે, ત્યારે આજે આણંદ જિલ્લા કલેક્ટર દ્વારા આણંદ, કરમસદ, વિદ્યાનગર, ઉમરેઠ, ખંભાત, પેટલાદ, બોરસદ નગરપાલિકા વિસ્તાર સહિત તારાપુર ગ્રામ પંચાયતમાં આવતા તમામ શોપિંગ મોલ્સ, સિનેમા ગૃહ, બાગબગીચા, ખાણીપીણીની દુકાનો-લારીઓ, પાનના ગલ્લા, ચાની લારી, શાકભાજીના બજારો, તમામ પ્રકારના માર્કેટ, તમામ વાણિજ્ય વિષયક ઓફિસો સહિત ખાનગી ઓફિસો, કોમર્શિયલ કોમ્પલેક્ષો, હોટલ-રેસ્ટોરન્ટો, સ્વીમીંગ પુલ, ધાર્મિક સ્થળો, કોમ્યુનિટી હોલ સહિત તમામ જાહેર સ્થળો સાંજે ૫ કલાકથી સવારના ૬ સુધી બંધ રાખવા આણંદ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું અપીલ કરાઈ…
નોંધ : આણંદ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર કરાયેલ જૂનું જાહેરનામું હાલ પુરતું મોકુફ રખાયું