Charotar Sandesh
બોલિવૂડ

બિહાર અને આસામના પૂરગ્રસ્તોની મદદ માટે અક્ષય કુમારે આપ્યા ૧-૧ કરોડ…

મુંબઈ : અક્ષય કુમારે ફરી દરિયાદિલી બતાવી / બિહાર અને આસામના પૂરગ્રસ્તોની મદદ માટે ૧-૧ કરોડ રૂપિયાની મદદ કરવા શપથ લીધી, બંને રાજ્યોના મુખ્યમંત્રીએ આભાર વ્યક્ત કર્યોઅક્ષય કુમાર પૂરગ્રસ્ત બિહાર અને આસામની મદદ માટે આગળ આવ્યો છે.

રિપોટ્‌ર્સ અનુસાર તેણે બંને રાજ્યોના મુખ્યમંત્રી રિલીફ ફંડમાં ૧-૧ કરોડ રૂપિયા દેવાની શપથ લીધી છે. ૧૩ ઓગસ્ટે આ બાબતે તેણે બંને રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી. બંને મુખ્યમંત્રીઓએ તેની દરિયાદિલી માટે તેનો આભાર માન્યો અને મદદ કરવા બદલ તેના વખાણ પણ કર્યા.આ પહેલાં અક્ષય કુમારે કોરોના સામેની લડાઈમાં પીએમ કેર્સ ફંડમાં ૨૫ કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું હતું. આ સિવાય તેણે ૩ કરોડ રૂપિયા બીએમસીને માસ્ક, પીપીઈ અને રેપિડ ફાયર કિટ્‌સ ખરીદવા માટે આપ્યા હતા. મુંબઈ પોલીસ ફાઉન્ડેશનમાં પણ તેણે ૨ કરોડ રૂપિયા આપ્યા છે. આટલું જ નહીં તેણે રોજમદાર શ્રમિકોની મદદ માટે સીને એન્ડ ટીવી આર્ટિસ્ટ્‌સ એસોસિએશનમાં ૪૫ લાખ રૂપિયા આપ્યા હતા.

Related posts

દીપિકા પદુકોણ ઇન્ટરનેશનલ શૂઝ બ્રાન્ડેની ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર

Charotar Sandesh

’હંગામા ૨’નું ટ્રેલર લોન્ચ, ફિલ્મ ૨૩ જુલાઈએ ઓટીટી પર રિલીઝ થશે…

Charotar Sandesh

દેશમાં અફરાતફરીનો માહોલ છે. એવામાં હું જન્મદિવસ કેવી રીતે મનાવું…

Charotar Sandesh