Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં કોરોનાને લઈ પ્રથમ મોત : ઉમરેઠના પોઝિટિવ દર્દીનું થયું દુઃખદ નિધન…

ઉમરેઠના કોરોના પોઝીટીવ દર્દીનું નડીઆદની હોસ્પિટલમાં મોત નિપજ્યું હોવાના દુઃખદ સમાચાર મળી આવ્યા છે…

આણંદ : તાલુકા મથક ઉમરેઠમાં કંસારા બજાર નજીક વસેલા દાઉદી વ્હોરવાડમાં રહેતા અને બિસ્કિટ ટોસ્ટ તેમજ કટલરીની લારી કાઢી પેટિયું રળતા શખ્સનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર ઉમરેઠ વિસ્તારમાં હડકંપ મચી જવા પામ્યો હતો, પરંતુ આજે દુઃખદ સમાચાર આવી રહ્યા છે, જેમાં તે ૪૫ વર્ષીય પોઝીટીવ દર્દીનું મૃત્યુ થવા પામેલ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઉમરેઠ વ્હોરવાડમાં રહેતા તેમજ અત્રેના પગલાં મંદિર પાસે લારીમાં ટોસ્ટ બિસ્કિટ તેમજ કટલરીનો ધંધો કરતા રાજ મહંમદ જોયેબભાઇ ગાંધી ચઉ.વ.૪૫ૃ છેલ્લા ત્રણેક દિવસથી બીમાર હતા, તેથી તેઓની સ્થાનિક ક્લિનિકમાં સારવાર ચાલતી હતી, પરંતુ તબિયત વધુ બગડતા તેઓને ડાકોર મુકામે અન્ય એક તબીબ પાસે રીફર કરવામાં આવ્યા હતા, ત્યાં ચેકઅપ કરતા સ્વાસ લેવામાં તકલીફ જેવું જણાતા નડીઆદ ની સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા, પરંતુ દર્દીને આઇસોલેશનમાં રાખવાનો હોઈ નડિયાદની એન.ડી દેસાઈ મેડિકલ કોલેજમાં ખસેડાયો હતો. જ્યા સેમ્પલ લઇ મોકલ્યા બાદ કોરોનાનો પોઝેટીવ રિપોર્ટ આવ્યો હતો.

દરમ્યાન આજરોજ ઉમરેઠના કોરોના પોઝીટીવ દર્દીનું નડીઆદની હોસ્પિટલમાં મોત નિપજ્યું હોવાના દુઃખદ સમાચાર મળી આવ્યા છે, તપાસમાં માલુમ પડેલ કે, તેઓ કેન્સરથી પણ પીડાતા હતા. જે ઘટનાને લઈ ઉમરેઠ પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

Related posts

આણંદ કૃષિ યુનિવર્સિટીનો ૧૬મો પદવીદાન સમારોહ સંપન્ન…

Charotar Sandesh

ડાકોર મંદિરના ભોજનાલયનો કોન્ટ્રાક્ટર વિદેશી દારૂની બોટલ સાથે ઝડપાયો…

Charotar Sandesh

આંકલાવ : પિકઅપ વાન અને ટ્રેલર વચ્ચે અકસ્માત : 9ના મોત, 10થી વધુ ઘાયલ

Charotar Sandesh