Charotar Sandesh
ગુજરાત

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સાબરમતી નદી કાંઠાના ૩૦ ગામોને કરાયા એલર્ટ…

અમદાવાદ : હાલ અમદાવાદ સહિત આખા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે અમદાવાદીઓ માટે આજે એક મોટા અને માઠા સમાચાર સામે આવી રહ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે લાખો ક્યૂસેક પાણી અનેક મોટા ડેમ મારફતે અનેક નદીઓમાં છોડવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદની ઓળખ સમી સાબરમતી નદીમાં પૂરના એંધાણના પગલે તંત્રએ અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમદાવાદમાં સાબરમતી નદી કાંઠાના ૩૦ ગામોને એલર્ટ આપી દેવામાં આવ્યું છે.
અમદાવાદના ૩૦ ગામોની વાત કરીએ તો તેમાં ધોળકાના ૧૫, દસ્ક્રોઈના ૧૦ અને બાવળાના ૫ ગામોનો સમાવેશ થાય છે, આ ૩૦ ગામના લોકોને સજાગ રહેવા અને નદીમાં ન જવા સૂચના અપાઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અનેક મોટા ડેમમાં પાણી છોડાઈ રહ્યું છે, ત્યારે ધરોઈ ડેમમાં લાખો ક્યૂસેક પાણીની આવક થતાં અનેક નદીઓમાં પાણીની આવક જોવા મળી રહી છે. હવે જાણવા મળી રહ્યું છે કે સંત સરોવર ભરાયા બાદ સાબરમતીમાં પાણી છોડવામાં આવશે.
હાલ સાબરમતી નદીનું જળસ્તર રૂલ લેવલે સ્થગિત છે પરંતુ આવનારા સમયમાં તે ભયજનક સપાટીએ વધી શકે છે. રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદથી સાબરમતી નદીમાં પાણી વધવાની શક્યતા દેખાઈ રહી છે. હાલ ધરોઈ ડેમમાંથી છોડવામાં આવેલું પાણી સંત સરોવરમાં ઠલવાશે. ત્યારબાદ સંત સરોવર ડેમ ભરાઈ ગયા બાદ વધારાનું પાણી સાબરમતીમાં ઠલવાશે. હાલ સાબરમતી નદીનું જળસ્તર રુલ લેવલ પર સ્થગિત છે.

Related posts

વિધાનસભા અધ્યક્ષે માસ્કનું ચેકિંગ કર્યુ, ૪ કર્મચારીને ફટકાર્યો ૫૦૦ રૂ.નો દંડ…

Charotar Sandesh

કોરોના કેસો ઘટાડવા તંત્રએ ટેસ્ટિંગ ઓછા કરી લોકો સાથે રમી ગંદી રમત : અમિત ચાવડા

Charotar Sandesh

અમદાવાદમાં કર્ફ્યૂની જાહેરાતથી ડરનો માહોલ, બજારોમાં લાગી લાંબી કતારો…

Charotar Sandesh