Charotar Sandesh
બોલિવૂડ

’કસૌટી જિંદગી કે…’ શોના નવા ટિ્‌વસ્ટમાં અનુરાગ નેગેટિવ રોલમાં દેખાશે…

મુંબઈ : સ્ટાર પ્લસ ચેનલની ‘કસૌટી જિંદગી કે’ સિરિયલમાં ટૂંક સમયમાં ઘણા ટિ્‌વસ્ટ આવવાના છે. થોડા સમય પહેલાં સમાચાર સામે આવ્યા હતા કે, અનુરાગ પ્રેરણાની હત્યા કરશે. લેટેસ્ટ માહિતી પ્રમાણે, શોમાં મિસ્ટર બજાજ એટલે કે કર્ણ સિંહ ગ્રોવર વાપસી કરશે. આ વખતે મિસ્ટર બજાજ પોઝિટિવ રોલ અને અનુરાગ નેગેટિવ રોલ પ્લે કરશે.

મીડિયા રિપોટ્‌ર્સ પ્રમાણે, મિસ્ટર બજાજ પ્રેરણાની મદદ કરવા શોમાં પાછો ફરશે. હાલ કરણ સિંહ ગ્રોવર વેકેશન પર છે. ત્યાંથી પરત આવીને તે ફરીથી શૂટિંગ શરૂ કરશે. નવા પ્લોટમાં મિસ્ટર બજાજ પ્રેરણાનો જીવ બચાવીને તેને નવી જિંદગી આપશે.

હાલમાં જ શોની પ્રોડ્યુસર એકતા કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક પ્રોમો વીડિયો શેર કર્યો હતો, આ વીડિયોમાં અનુરાગ પ્રેરણાને ધાબા પરથી ધક્કો મારતો દેખાઈ રહ્યો છે. એક ઇન્ટરવ્યૂમાં એકતા કપૂરે જણાવ્યું કે, દર્શકોએ અત્યાર સુધી અનુરાગ-પ્રેરણાનો પ્રેમ જોયો છે, હેવ તેઓ તેમની ડાર્ક સાઈડ અને નફરત જોશે.

Related posts

ઉમર કો પ્યાર સે કયા લેના દેના હૈ ? : રકુલ પ્રીત

Charotar Sandesh

’જયેશભાઈ જોરદાર’ના શૂટિંગ માટે રણવીર સિંહ-શાલિની પાંડે ગુજરાત આવ્યાં…

Charotar Sandesh

લૉકડાઉનની વચ્ચે શ્રધ્ધા કપૂરે વીડિયો શેર કરી આપ્યા ખાસ સંકેત…

Charotar Sandesh