Charotar Sandesh
ગુજરાત

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે ૭,૪૨૩ કરોડની જોગવાઇ…

ઝીરો ટકા વ્યાજે લોન માટે ૧,૦૦૦ કરોડની જોગવાઈ,પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતને ગાય દીઠ માસિક ૯૦૦ રૂની સહાય…

૨૯ હજાર ખેડૂતોને ટ્રેક્ટર દીઠ ૪૫,૦૦૦થી ૬૦,૦૦૦ની સહાયતા કરાશે…

ગાંધીનગર : આજથી શરૂ થઇ રહેલા ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનાં પ્રથમ દિવસે નાણામંત્રી નીતિન પટેલ રાજ્યનું વર્ષ ૨૦૨૦-૨૧નું બજેટ રજૂ કર્યુ હતું. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર થયા બાદ રાજ્ય સરકારે નારાજ ખેડૂતો, બેરાજગારોથી માંડીને સામાન્ય જનતાને ખુશ કરવા ફૂલગુલાબી બજેટ રજૂ કર્યુ હતું. સરકારે આ બજેટમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ ૭,૪૨૩ કરોડની જોગવાઈ કરી છે. ઉપરાંત ખેડૂતોને વગર વ્યાજે પાક ધિરાણ મળે તેના માટે ૧,૦૦૦ કરોડની જોગવાઈ કરી છે. નાણા મંત્રી નીતિન પટેલે બજેટમાં વિવિધ યોજનાઓ અને સહાયતાની રકમની જાહેરાત કરી હતી.

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે ૭,૪૨૩ કરોડની જોગવાઇ
વર્ષ ૨૦૨૦ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. સરકારે સિંચાઇ માટેની સુવિધાઓ, વિના વ્યાજે પાક ધિરાણ, પાક વીમાં, બિયારણ, ખેત ઓજારો અને ખાતરની ખરીદીમાં સહાય, પાક-ઉત્પાદનોની ટેકાના ભાવ ખરીદી જેવી અનેક ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. અણધારી કુદરતી આફતો સમયે પણ અમે જગતના તાતની પડખે અડીખમ ઊભા રહ્યા છીએ. આમ, ખેડૂત કલ્યાણની વાત આવે ત્યારે અમારી સરકાર વાવણીથી વેચાણ સુધીના દરેક તબક્કા ખભેથી ખભા મિલાવીને ખેડૂતોની સાથે રહી છે.

રાજ્યના ખેડૂતો સહકારી તેમજ રાષ્ટ્રીયકૃત બેન્ક મારફત દર વર્ષે આશરે ૩૯,૦૦૦ કરોડનું ટૂંકી મુદતનું પાક ધિરાણ મેળવે છે. જેનું સંપૂર્ણ વ્યાજ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા બેન્કને ચુકવવામાં આવે છે.

આમ, ગુજરાતના ખેડૂતોને ઝીરો ટકા વ્યાજ દરે એટલે કે વ્યાજ રહિત પાક ધિરાણ મળે છે. જે માટે ૧,૦૦૦૦ કરોડની જોગવાઇ. મને જણાવતા આનંદ થાય છે કે, રાજય સરકારની ભલામણ ધ્યાને લઇ ભારત સરકારે પાક વીમા યોજના ખેડૂતો માટે મરજિયાત બનાવવાની જાહેરાત કરેલ છે. પરંતુ જે ખેડૂતો પાક વીમો લેવા ઇચ્છતા હશે તેમને મદદ કરવા પાક વીમાનું પ્રીમિયમ ભરવા ૧,૧૧૯૦ કરોડની જોગવાઇ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના વિવિધ પ્રોજેક્ટ માટે ૩૦૦ કરોડની જોગવાઇ.

૨૯,૦૦૦ ખેડૂતોને ટ્રેક્ટર દીઠ ૪૫,૦૦૦ થી ૬૦,૦૦૦ની સહાય…
કમોસમી વરસાદ, વાવાઝોડું, અતિવૃષ્ટિ, જીવજંતુનો ઉપદ્રવ અને અન્ય પરિબળોથી પાક ઉત્પાદન બાદનું નુકસાન અટકાવવા માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજનાની જાહેરાત કરતા હર્ષની લાગણી અનુભવું છું. આ યોજના અંતર્ગત ખેડૂતોને ખેતરમાં નાના ગોડાઉન-ઓન ફાર્મ સ્ટોરેજ સ્ટ્રકચર બનાવવા માટે એકમ દીઠ ૩૦,૦૦૦ની સહાય આપવામાં આવશે. આવા સ્ટ્રક્ટરના બાંધકામ માટે એન.એ.ની મંજૂરીથી મુકિત આપવામાં આવશે. જેના માટે ૩૦૦ કરોડની જોગવાઇ.કૃષિ યાંત્રિકીકરણ અંતર્ગત ૨૯,૦૦૦ ખેડૂતોને ટ્રેક્ટર દીઠ ૪૫,૦૦૦ થી ૬૦,૦૦૦ની સહાય તેમજ આશરે ૩૨,૦૦૦ ખેડૂતોને વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા ૨૩૫ કરોડની જોગવાઇ.

પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતને ગાય દીઠ માસિક ૯૦૦ રૂની સહાય…
વર્તમાન સમયમાં જંતુનાશક દવાઓ અને રસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગથી. થતાં નુકસાનને લીધે પ્રાકૃતિક ખેત ઉત્પાદનોની માંગ વધી છે. અમે દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની યોજનાઓ અમલમાં મૂકી છે. હવે ગુજરાતના ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે નવી યોજનાની હું જાહેરાત કરુ છું. આ યોજના અંતર્ગત ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતને એક ગાય દીઠ નિભાવ ખર્ચ માસિક ૯૦૦ એટલે કે વાર્ષિક ૧૦,૮૦૦ સહાય આપવામાં આવશે. પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતે ગાયનું છાણિયું ખાતર અને જીવામૃતનો ઉપયોગ કરવાનો રહેશે. જેના કારણે લાંબા ગાળે જમીનની ફળદ્રુપતા વધશે, લોકોને સ્વાથ્યપ્રદ ઓર્ગેનિક અનાજ અને શાકભાજી મળી રહેશે તેમજ ગૌ સેવાનો લાભ પણ મળશે. આ યોજના અંતર્ગત અંદાજે ૫૦ હજાર ખેડૂતોને આવરી લેવા માટે ૫૦ કરોડની જોગવાઇ.

ઉડાન યોજના :
ખેડતો પોતાના ઉત્પાદન રાજ્યના અન્ય શહેરોમાં અદ વેચાણ અર્થે લઇ જઇ શકે તે માટે પરિવહન સુવિધા ઉપલબ્ધ છે. આ હેતુ માટે ભારત સરકારે કિસાન રેલ અને ઉડાન યોજ સુસંગત કિસાન પરિવહન યોજનાની જાહેરાત હળવા ભારવાહક વાહનની ખરીદી માટે ૫૦ હજારથી ૭૫,૦૦૦ સહાય આપવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કે અંદાજિત પાંચ હજાર ખેડૂતોને લાભ આપવા હજાર સહાય આપવા ૩૦ કરોડની જોગવાઈ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન હેઠળ ઘઉ,ચોખા, કઠોળ, બરછટ અનાજ, કપાસ શેરડી, તથા તેલીબિયાંના પાકોના ઉત્પાદનમાં વૃદ્ધી માટે ૮૭ કરોડની સહાય આપવામાં આવશે.
  • ખેડૂતોને અકસ્માત વીમા યોજના હેઠળ ૭૨ કરોડ રૂપિયાની સહાયતા આપવામાં આવશે જ્યારે એગ્રો અને ફૂડ પ્રોસેસીંગ એકમોને સહાય આપવા માટે ૩૪ કરોડ રૂપિયાની સહાયતા આપવામાં આવશે.
  • દેશની પ્રથમ ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી પંચમહાલ જિલ્લાના હાલોલમાં સ્થાપવામાં આવશે તેના માટે ૧૨ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવશે.

Related posts

કોરોના પર સંપૂર્ણ કંટ્રોલ આવી ગયો છે, પરંતુ કોરોના ખતમ થયો છે એવું માનતા નહીં : સીએમ રૂપાણી

Charotar Sandesh

રાજ્યમાં વહેલી ચુંટણીના ભણકારા : AAP પાર્ટી બાદ AIMIM પાર્ટીના ઔવેસીએ અમદાવાદની મુલાકાત લીધી

Charotar Sandesh

૨૪ કલાકમાં રાજ્યમાં એક પણ પોઝિટિવ કેસ નહિ : ૪-૫ દિવસ અતિ મહત્ત્વના…

Charotar Sandesh