Charotar Sandesh
ઈન્ડિયા

કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી રેફ્રિજરન્ટ્‌સ અને એસીના આયાત પર લગાવ્યો પ્રતિબંધ…

સ્થાનિક મેન્યૂફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા…

ન્યુ દિલ્હી : કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી રેફ્રિજરન્ટ્‌સની સાથે એર કન્ડીશનરના આયાત પ્રતિબંધ લગાવી દીધો છે. તેના માટે અધિસૂચના જાહેર કરી દેવામાં આવી છે. સ્થાનિક મેન્યૂફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા અને બિનજરૂરી સામાનના આયાતમાં ઘટાડો લાવવાના ઈરાદાથી આ પગલાં ભર્યા છે. વિદેશી વેપાર મહાનિદેશાલયએ એક અધિસૂચનામાં કહ્યું કે, રેફ્રિજરન્ટ્‌સની સાથે એર કન્ડીશનરના આયાતને લઈ નીતિ સંશોધિત કરવામાં આવી છે. તે મુજબ તેને મુક્ત શ્રેણીમાંથી હટાવીને પ્રતિબંધાત્મક યાદીમાં મૂકવામાં આવ્યું છે. સરકાર સ્થાનિક મેન્યૂફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા અને બિનજરૂરી સામાનોના આયાતમાં ઘટાડો લાવવા માટે પગલાં ભરી રહી છે.
આ પહેલા જૂન મહિનામાં સરકારે કાર, બસ અને મોટરસાઇકલમાં ઉપયોગમાં લેવાતા ન્યૂમેટિક ટાયરના આયાત પર પ્રતિબંધ લગાવી દીધો હતો. હવે આલ્કોહોલ બેઝ્‌ડ હેન્ડ સેનિટાઇઝરની નિકાસ કરી શકાશે. કોરોના મહામારીમાં ભારત સહિત સમગ્ર દુનિયામાં હેન્ડ સેનિટાઇઝરની માંગમાં ઘણો વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ ભારતીય સેનિટાઇઝર કંપનીઓ પોતાની પ્રોડક્ટ દુનિયાના બજારોમાં વેચવા માંગે છે.
આ બાબતોને ધ્યાને લઈ કેન્દ્ર સરકારે આ અગત્યનો નિર્ણય લીધો છે. આ પહેલા ભારતમાં કોરોના વાયરસના વધતા કેસોને જોતાં કેન્દ્ર સરકારે તેના નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. પરંતુ ડિમાનડથી વધુ ઉત્પાદન થવાની સ્થિતિમાં આવતાં જ કેન્દ્ર સરકારે આ નિયમોમાં છૂટ આપવાનો નિર્ણય લીધો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે પોતાના ૧ જૂન ૨૦૨૦ના નોટિફિકેશનમાં સંશોધન કરતાં નિર્ણય લીધો છે કે ડિસ્પેન્સર પંપની સાથે કન્ટેનરમાં આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઇઝરનો નિકાસ કરી શકાશે. ગુરૂવારે જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે આ સંશોધન તાત્કાલિક પ્રભાવથી લાગુ થશે.

Related posts

પ્રાચીન વસ્તુઓનું નિરીક્ષણ બાદ ઓસ્ટ્રેલિયાથી ભારત ૨૯ દુર્લભ મૂર્તિઓ પરત લાવવામાં આવી

Charotar Sandesh

સૂર્યપ્રકોપ..!! વિશ્વનાં સૌથી ૧૫ ગરમ સ્થળોમાં આઠ ભારતમાં નોંધાયા…

Charotar Sandesh

‘તખ્ત’માં વિકી કૌશલ ઓરંગઝેબનું પાત્ર નિભાવશે

Charotar Sandesh