Charotar Sandesh
સ્પોર્ટ્સ

કોરોના વાયરસ ખતમ થયા પછી પંજાબ પરત ફરશે અને ખેડૂત બનશેઃ હરભજન સિંહ

નવી દિલ્હી : ભારતના અનુભવી ઓફ સ્પિનર હરભજન સિંહે ખુલાસો કર્યો છે કે તે કોરોના વાયરસ ખતમ થયા પછી પંજાબ પરત ફરશે અને ખેડૂત બનશે. ટીમ ઇન્ડિયાના સ્ટાર સ્પિનર આર અશ્વિન સાથે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ સેશન દરમિયાન હરભજન સિંહે આ વાતનો ખુલાસો કર્યો છે. ૩૯ વર્ષના હરભજને આ સેશનમાં બતાવ્યું કે તે કેવી રીતે ખેતી કરશે અને જરુરિયાતમંદ લોકોને ખાવાનું આપશે. અશ્વિને સવાલ કર્યો હતો કે દુનિયા આ સંકટમાંથી કેવી રીતે બહાર આવશે તો હરભજને કહ્યું હતું કે આ બધુ એટલા માટે થઈ રહ્યું છે કે કારણ કે ભગવાન આપણી પાસે ઇચ્છા રાખે છે કે આપણે કાંઈક બાબતો શીખીએ. તેણે પોતાના વિશે કહ્યું હતું કે તે હંમેશા પ્રવાસ કરતો રહે છે. ઘરે સહેજ પણ સમય પસાર કરતો નથી. કદાચ આપણે બધા પૈસા પાછળ ભાગી રહ્યા હતા. આપણે લાલચી થઈ ગયા છીએ. હવે ભગવાને આપણને પોતાને જોવાની તક આપી છે. એ જોવાની તક આપી છે કે આપણે ક્યાં ઉભા છીએ અને જીવનમાં શું મહત્વનું છે. ફક્ત પૈસા કમાવવા પાછળ ના ભાગશો. હરભજને કહ્યું હતું કે જે રીતે તેણે પૈસા કમાવ્યા છે, કદાચ તેને બાકી રહેલા જીવનમાં ખર્ચ ના કરી શકે. જીવન જીવવા માટે વધારે પૈસાની જરુર નથી ફક્ત થોડ પૈસાની જરુર છે. હરભજને કહ્યું કે શું આપણને પ્રેમ અને બીજાની સંભાળ રાખવાની જરુર નથી. આ મુશ્કેલી સમયમાં આપણે શીખવું પડશે.

પોતાની યોજના વિશે વાત કરતા હરભજને કહ્યું કે આ બધુ ખતમ થયા પછી તે પંજાબ જશે અને ઘણા ખેતર ખરીદશે. જ્યાં શાકભાજી અને ઘઉં ઉગાડવાનું શરુ કરશે. હું ખેડૂત બનીશ. આ પછી પૈસા વગર ખાવાનું વહેંચીશ. આ ખાવાનું મંદિરમાં જશે. જરુરિયાતમંદ લોકો પાસે જશે. આમથી તેમ ભાગવાના બદલે તેને આમાં વધારે સંતોષ થશે. ફક્ત પૈસા કમાવવા જ પુરતા નથી. એકબીજાની મદદ કરવી પણ મહત્વપૂર્ણ છે.

Related posts

પાકિસ્તાન ક્રિકેટમાં રમવા માટે સૌથી સુરક્ષિત દેશમાંથી એક : ક્રિસ ગેલ

Charotar Sandesh

આંદ્રે રસલ આઈપીએલમાં ડબલ સેન્ચુરી ફટકારી શકે છે…

Charotar Sandesh

ધોની-વીલિયર્સ સાથે બેટિંગ કરવી વધુ પસંદ છેઃ કોહલી

Charotar Sandesh