Charotar Sandesh
ઈન્ડિયા

કોરોના સંકટ : ૧.૭૦ લાખ કરોડનું જંગી રાહત પેકેજ…

ગરીબ, ખેડૂત, મહિલા, મજૂરો પર સરકાર વરસી પડી…

૮૦ કરોડ ગરીબોને ત્રણ મહિના સુધી સસ્તા દરે અનાજ મળશે,ડોક્ટરો-નર્સો સહિત અન્ય સ્ટાફ માટે વ્યક્તિગત ૫૦ લાખ રૂપિયાનું વિમા સુરક્ષા કવચ,ઇપીએફમાં સરકાર યોગદાન કરશે, ૭૫ ટકા ફન્ડ ઉપાડી શકાશે,૮.૬૯ કરોડ ખેડૂતોને મળશે ૨ હજાર રૂપિયા,ઉજ્જવલા હેઠળ ૮ કરોડ મહિલાઓને ૩ મહિનાઓ સુધી વિનામૂલ્યે ગેસ સિલીન્ડર…

ન્યુ દિલ્હી : નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કોરોના વાયરસ સામેની લડાઇમાં રાહત માટે ૧.૭૦ લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. તેમણે કોરોના સામે લડાઇમાં મદદ કરી રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમના માટે ૫૦ લાખ રૂપિયાના મેડિકલ વીમાની જાહેરાત કરી છે. તેમાં આશા વર્કર, પેરામેડિકલ સ્ટાફ, ટેક્નિકલ સ્ટાફ, ડોક્ટર સહિતના કર્મચારીઓનો સમાવેશ થાય છે. તેનાથી ૨૦ લાખ જેટલા કર્મચારીઓને લાભ મળશે.

૧. ગરીબોને મફત અનાજ
અત્યાર સુધી દરેક ગરીબને દર મહિને ૫ કિલો ઘઉં અથવા ચોખા મળતા હતા. આગામી ત્રણ મહિના સુધી દરેક ગરીબને હવે ૫ કિલો વધારાના ઘઉં અને ચોખા મળશે. મતલબ કુલ ૧૦ કિલો ઘઉં અને ચોખા મળશે. તે સાથે ૧ કિલો દાળ પણ મળશે.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત આ રાહતનો ફાયદો ૮૦ કરોડ ગરીબ લોકોને મળશે. મતલબ કે દેશની બે તૃતિયાંશ વસતિ.

૨. હેલ્થ વર્કર્સને મેડિકલ ઇન્સ્યોરન્સ કવર
કોરોના વાયરસ સામે લડવામાં દેશના હેલ્થ વર્કર્સની ભૂમિકાનું મહત્વ સમજતા સરકારે તેમને આગામી ત્રણ મહિના માટે ૫૦ લાખ રૂપિયાનું મેડિકલ ઇન્સ્યોરન્સ કવર આપવાની જાહેરાત કરી છે. દેશભરમાં ૨૨ લાખ હેલ્થ વર્કર્સ છે. ૧૨ લાખ ડોક્ટર્સ છે.

૩. ખેડૂતો, મહિલાઓના ખાતામાં સીધા પૈસા
ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર અંતર્ગત ૮.૬૯ કરોડ રૂપિયાની મદદ કરવામાં આવશે. ખેડૂતોને તેનો પહેલો હપ્તો એપ્રિલના પહેલા અઠવાડિયામાં મળી જશે. તેનો ફાયદો ૮.૬૯ કરોડ ખેડૂતોને મળશે.
મહિલાઓ- મહિલા જનધન ખાતાધારકોને આગામી ત્રણ મહિના સુધી ૫૦૦ રૂપિયા પ્રતિ મહિનો આપવામાં આવશે. તેનો ફાયદો ૨૦ કરોડ મહિલાઓને થશે.
વૃદ્ધ, દિવ્યાંગ અને વિધવા- આગામી ત્રણ મહિના માટે બે હપ્તામાં ૧૦૦૦ રૂપિયાની મદદ કરવામાં આવશે. ત્રણ કરોડ લોકોને તેનો ફાયદો થશે. મનરેગા- મજૂરીને ૧૮૨ રૂપિયાથી વધારીને ૨૦૨ રૂપિયા કરવામાં આવી છે.

૪. ઇપીએફમાં સરકાર યોગદાન કરશે, ૭૫ ટકા ફન્ડ ઉપાડી શકાશે
સરકાર ત્રણ મહિના સુધી પ્રોવિડન્ટ ફન્ડમાં કર્મચારીઓ અને કંપની બન્નેનું યોગદાન સ્વયં કરશે. મતલબ ઇપીએફમાં ૨૪ ટકા યોગદાન સરકાર આપશે. પીએફ ફન્ડ રેગ્યુલેશનમાં સંશોધન કરવામાં આવશે. જમા રકમના ૭૫ ટકા અથવા ત્રણ મહિનાના પગારમાંથી જે કંઇ પણ ઓછું હશે તે ઉપાડી શકાશે.
૧૦૦થી ઓછા કર્મચારીઓ વાળા સંસ્થાન અને ૧૫ હજારથી ઓછો પગાર મેળવતા કર્મચારીઓને આને લાભ મળશે.
દેશભરમાં ૮૦ લાખથી વધુ કર્મચારીઓ અને ૪ લાખથી વધુ સંસ્થાનોને.

૫.મહિલાઓને મફત સિલિન્ડર
જે ગરીબ મહિલાઓને ઉજ્જવલા યોજના અંતર્ગત મફત ગેસ કનેક્શન મળ્યા છે, તેમને આગામી ત્રણ મહિના સુધી મફતમાં ગેસ સિલિન્ડર મળશે. ગરીબી રેખા નીચે આવતા ૮.૩૯ કરોડ પરિવારોને જેમના ઘરની મહિલાઓને ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ કનેક્શન મળ્યું છે.
નિર્માણ ક્ષેત્ર સાથે સંકડાયેલા ૩.૫ કરોડ રજીસ્ટર્ડ વર્કર જેઓ લોકડાઉનના કારણે આર્થિક પરેશાનીઓને સામનો કરી રહ્યા છે તેમને મદદ કરવામાં આવશે. તેમના માટે ૩૧ હજાર કરોડ રૂપિયાનું ફન્ડ રાખવામાં આવ્યું છે.
મહિલા સહાયતા સમુહ (સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ)ને પહેલા ૧૦ લાખ રૂપિયાની લોન મળતી હતી. હવે ૨૦ લાખ રૂપિયાની લોન મળશે. તેનાથી ૭ કરોડ પરિવારને ફાયદો થશે.

રાહત પેકેજ પર એક નજર….

* દેશના સ્વાસ્થય કર્મીઓ માટે ૫૦ લાખના વીમો
* ગરીબોને ભોજન અને નાણાં બંનેની મદદ મળી રહેશે.
* આગામી ૩ મહિના માટે ગરીબોને મફતમા ભોજન અપાશે.
* ગરીબ કલ્યાણ યોજનાઓ હેઠળ ગરીબોને ૧.૭૦ લાખ કરોડ રૂપિયાની મદદ અપાશે
* પ્રધાનમંત્રી અન્ન યોજના હેઠળ ૫ કિલો વધારે ધઉં અને ચોખા આગામી ૩ મહિના સુધી મળશે.
* આ યોજનાનો ફાયદો ૮૦ કરોડ લોકોને મળશે.
* એક કિલો કઠોળ પણ ફ્રીમાં અપાશે.
* વિધવા, વૃદ્ધ અને દિવ્યાંગોને વધારાના ૧૦૦૦ રૂપિયા આગામી ત્રણ મહિના માટે મળશે.
* ત્રણ કરોડ વિધવા અને દિવ્યાંગોને તેનો લાભ મળશે
* આ પૈસા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા તેમના ખાતામાં જશે.
* ૨૦ કરોડ મહિલા જનધન અકાઉન્ટ હોલ્ડરને વધારાના ૫૦૦ રૂપિયા આગામી ત્રણ મહિના માટે મળશે
* ઉજ્જવલા યોજના અંતર્ગત લાભાર્થીઓને આગામી ત્રણ મહિના માટે મફતમાં સિલિન્ડર આપવામાં આવશે. ૮ કરોડથી વધુ મહિલાઓને ફાયદો થશે.
* મનરેગામાં મજૂરી કરતા મજૂરો માટે રોજની મજૂરી રૂ. ૧૮૨ રૂપિયાથી વધારી ૨૦૨ રૂપિયા અપાશે.
* પીએમ કિસાન યોજના, કિસાન સન્માન નીધિ યોજના હેઠળ ૮ કરોડ ૭૦ લાખ ખેડૂતોને ફાયદો મળશે.
* ૨ હજાર રૂપિયાનો હપતો એપ્રિલના પ્રથમ મહિનામાં જ ટ્રાન્સફર કરી દેવાશે.

Related posts

ભારત એ દેશ નથી જે વિકાસના બહાને પાડોશીઓને જાળમાં ફસાવેઃ મોદી

Charotar Sandesh

હવે કોવિશિલ્ડ વેક્સિનનો બીજો ડોઝ ૨૮ દિવસ બાદ લઇ શકાશે…

Charotar Sandesh

મોદી સરકારની નોટબંધી અને લોકડાઉનએ હજારો ઘરો બરબાદ કરી નાંખ્યા : રાહુલ ગાંધી

Charotar Sandesh