Charotar Sandesh
બોલિવૂડ

જ્હોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ ’સત્યમેવ જયતે ૨’ની રિલીઝ ડેટ પાછી ઠેલાઈ…

મુંબઈ : છેલ્લા કેટલાક દિવસોમાં, કોરોનાની બીજી લહેરથી દેશમાં વર્તમાન પરિસ્થિતિને કારણે અત્યાર સુધી ઘણી ફિલ્મોની રિલીઝ ડેટ પાછી ઠેલવવામાં આવી છે. હવે તાજેતરમાં એક્ટર જ્હોન અબ્રાહમ સ્ટારર ’સત્યમેવ જયતે ૨’ ની રિલીઝ ડેટ પણ પોસ્ટપોન કરી દેવામાં આવી છે. જો કે, અત્યારે ફિલ્મની નવી રિલીઝ ડેટની જાહેરાત નથી કરવામાં આવી. મેકર્સે આ વાતની જાહેરાત કરતા સોશિયલ મીડિયા પર એક સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે. આ અગાઉ આ ફિલ્મને મેકર્સે ૧૩મે ના રોજ ઈદના પ્રસંગે સલમાન ખાનની ’રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ની સાથે થિયેટર્સમાં રિલીઝ કરવાનો નિર્ણય લીધો હતો.
ફિલ્મના મેકર્સે સ્ટેટમેન્ટમાં કહ્યું, ‘આ સંકટના સમયમાં, જનતાની સુરક્ષા અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા અમે અમારી આવનારી ફિલ્મ ’સત્યમેવ જયતે ૨’ની રિલીઝ ડેટ પાછી ઠેલી દેવામાં આવી. ફિલ્મ સાથે સંબંધિત વધુ જાણકારી અમે તમને આપતા રહીશું. ત્યાં સુધી બે ગજનું અંતર રાખવું અને માસ્ક પહેરવો. પોતાનું અને પોતાના પરિવારનું ધ્યાન રાખો, જય હિન્દ. ’

Related posts

કિયારા બૉયફ્રેન્ડ સિદ્વાર્થ મલ્હોત્રા સાથે માલદીવમાં વેકેશન માળવા ગઈ…

Charotar Sandesh

નસીરુદ્દીન શાહ અને બપ્પી લહેરીની તબિયતને લઇ અફવા પર વિવાને કરી સ્પષ્ટતા…

Charotar Sandesh

આલિયા-રણબીર કપૂર આવતા વર્ષે લગ્ન કરે તેવી શક્યતા…

Charotar Sandesh