Charotar Sandesh
બોલિવૂડ

પરિણિતા ચોપડાએ થોડા સમય માટે સોશિયલ મિડિયાને અલવિદા કહ્યુ…

મુંબઇ : દેશમાં ચાલી રહેલા લોકડાઉન વચ્ચે અભિનેત્રી પરણિતી ચોપરા પોતાના માટે સમય નીકાળવા માટે થોડાક સમય માટે સોશિયલ મીડિયા છોડી રહી છે. પરિણીતીએ તેનો ખુલાસો ઇન્સ્ટાગ્રામ સ્ટોરીથી કર્યો તેણે કહ્યું કે તે જલદી જ પાછી આવશે. પરિણીતીએ લખ્યું, થોડાક દિવસો માટે સોશિયલ મીડિયાથી ડેટોક્સ થવાની જરૂરત છે અને જરૂરી પણ છે. તમને લોકોને બાદમાં મળીશું. તાજેતરમાં જ પરિણીતાની સ્વયં દુલ્હનની તૈયારીની એક તસવીર શેર કરી પ્રશંસકોનું દિલ જીતી લીધું હતું.
ફિલ્મની વાત કરીએ તો તેને દિબાકર બેનર્જી દ્રારા નિર્દેશિત આગામી ફિલ્મ સંદીપ અને પિંકી ફરારમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે ઇશકજાદેના સહ કલાકાર અર્જુન કપૂર પણ છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો પરિણીતી જલદી જ તેમની મોસ્ટ અ વેટેડ ફિલ્મ સંદીપ ઔર પિંકી ફરારમાં નજરે પડવાની છે. આ ફિલ્મમાં તેની સાથે અર્જુન કુપૂર નજરે પડવાનો છે. યશ રાજ ફિલ્મ્સના બેનર બેઠળ આ પરિયોજનાની મજેદાર વાત એ છે કે તેમા અર્જુન, પિંકી દહીયાનું પાત્ર ભજવી રહી છે. જ્યારે સંદીપ કૌરનું પાત્ર પરિણિતી નીભાવી રહી છે. આ એક બ્લેક કોમેડી ફિલ્મ છે.

Related posts

જો મારું નામ ડ્રગ કનેક્શનમાં આવ્યું તો હું હંમેશા માટે મુંબઈ છોડી દઈશ : કંગના

Charotar Sandesh

ભારતની નાણાકીય સ્થિતિના બદલાવ આધારિત ફિલ્મમાં અજય દેવગણ ચમકશે…

Charotar Sandesh

અભિનેત્રી ક્રિતી સેનન થઇ કોરોના સંક્રમિત…

Charotar Sandesh