Charotar Sandesh
ઈન્ડિયા

પાકિસ્તાનમાં છુપાયેલા અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમનું કોરોના વાયરસથી મોતની અટકળો…

પાકિસ્તાનમાં ડોન દાઉદ ઇબ્રાહીમનું કોરોના વાયરસથી મોત..! જો કે આ સમાચારની કોઇ પુષ્ટિ નથી કરતું…

ન્યુ દિલ્હી : પાકિસ્તાનમાં છુપાયેલા અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમનું કોરોના વાયરસથી મોતની અટકળો છે. જો કે તેની કોઇ સત્તાવાર પુષ્ટિ થઇ શકી નથી. આપને જણાવી દઇએ કે ઇન્ટેલિજન્સ એજન્સીઓના હવાલેથી રિપોર્ટ આવ્યો હતો કે દાઉદ અને તેની પત્ની કોરોના પોઝિટિવ છે. રિપોર્ટસના મતે દાઉદ અને તેની પત્ની કરાચીની આર્મી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. દાઉદના પર્સનલ સ્ટાફ અઇઅને ગાર્ડસને પણ ક્વારેન્ટાઇન કરાયા છે.

જો કે દાઉદ ઇબ્રાહીમના કોરોના સંક્રમિત હોવાના રિપોર્ટસને તેના ભાઇ અનીસ ઇબ્રાહીમે નકારી દીધો છે. અનીસે દાવો કર્યો કે ભાઇ સહિત પરિવારના તમામ સભ્ય સ્વસ્થ છે. કોઇપણ હોસ્પિટલમાં દાખલ નથી. આપને જણાવી દઇએ કે અનીસ ઇબ્રાહીમ જ દાઉદની ડી-કંપની ચલાવે છે. અનીસ યુએઇની લક્ઝરી હોટલ અને પાકિસ્તાનમાં મોટા કંસ્ટ્રકશન પ્રોજેક્ટ સિવાય ટ્રાન્સપોર્ટનો બિઝનેસ પણ ચલાવી રહ્યો છે.

આપને જણાવી દઇએ કે દાઉદ ઇબ્રાહીમ ૧૯૯૩મા થયેલા બોમ્બ બ્લાસ્ટનો માસ્ટરમાઇન્ડ હતો. આ આતંકી ઘટનામાં ૧૩ બોમ્બ બ્લાસ્ટ થયા હતા જેમાં ૩૫૦ લોકોના મોત થયા હતા અને ૧૨૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. ૨૦૦૩મા ભારત સરકારે અમેરિકા સાથે મળીને દાઉદને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરી દીધો હતો.

Related posts

ચીનને ઝટકો આપીને ભારત આવવાની તૈયારીમાં અમેરિકાની 200 મોટી કંપનીઓ

Charotar Sandesh

આગામી વર્ષથી દિલ્હી-NCR સહિત દેશભરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર મુકાશે પ્રતિબંધ…

Charotar Sandesh

Record : કોરોના જંગમાં ભારતની અનોખી સિદ્ધિ : રસીકરણના ડોઝ ૧૦૦ કરોડને પાર

Charotar Sandesh