Charotar Sandesh
ગુજરાત

બિનખેડૂત પણ ખેતીની જમીન ખરીદી શકે : સરકારનો મહત્વનો નિર્ણય…

શૈક્ષણિક હેતુ માટે ખેતીની જમીન ખરીદવા કલેક્ટરની પૂર્વ મંજૂરી નહીં લેવી પડે…

દેવા વસુલી મારફતે થતી હરાજીમાં જમીન ખરીદનારે જંત્રીના ૧૦ ટકા પ્રિમિયમ ભરવું પડશે,ઔદ્યોગિક હેતુનો ઉપયોગ શક્ય ન હોય તેવા કિસ્સામાં અન્ય હેતુ માટે જમીન વેચી શકાશે…

ગાંધીનગર : ગુજરાત સરકારે આજે જમીન ખરીદી અંગે ગણોત કાયદાઓમાં મહત્વપૂર્ણ મહેસૂલી સુધારો કર્યો છે. રાજ્ય મંત્રીમંડળના નિર્ણય મુજબ સમગ્ર રાજ્યમાં હવે, કૃષિ યુનિવર્સિટી, પશુપાલન યુનિવર્સિટી, મેડિકલ કોલેજ, ઇજનેરી કોલેજ કે અન્ય શૈક્ષણિક હેતુસર ખેતીની જમીન ખરીદવા માટે જિલ્લા કલેકટરની પૂર્વ પરવાનગી કે મંજૂરી નહિં લેવી પડે. આવી જમીનની ખરીદી કર્યા બાદ એક મહિનામાં જિલ્લા કલેકટરને જાણ કરી બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પર્પઝની જેમ જ જરૂરી પ્રમાણપત્રો મેળવીને નિયત સમયમાં પ્રોજેકટ કામગીરી શરૂ કરી શકાશે.
ભૂતકાળમાં આવી જમીન ખરીદી માટે બિન ખેડૂત સંસ્થાઓ કે વ્યક્તિઓ એ જિલ્લા કલેકટર પાસે મંજૂરી મેળવવાનું આવશ્યક હોવાના પરિણામે લાંબા સમય સુધી ટાઇટલ ક્લિયરન્સ, ઇન્સપેકશન વગેરેમાં જતો સમય અને પ્રોજેકટ શરૂ કરવામાં થતા વિલંબની સમસ્યાનો હવે આ નવી વ્યવસ્થામાં અંત આવશે.
રાજ્યમાં બોનાફાઇડ ઇન્ડસ્ટ્રિયલ પર્પઝ માટે જો જમીન ખરીદી હોય, પરંતુ ઔદ્યોગિક હેતુનો ઉપયોગ શક્ય ન હોય તેવા કિસ્સામાં ય્ડ્ઢઝ્ર્રૂજનરલ ડેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશન્સ)ની જોગવાઇઓ મુજબ ઊદ્યોગ સિવાયના અન્ય હેતુ માટે પણ જમીન વેચી શકાશે. આ પ્રકારની જમીનોના કિસ્સામાં કંપનીના મર્જર, જોઇન્ટ વેન્ચર, એમાલગ્મેશન(એકીકરણ) કે પોતાની જ પેટા કંપની, ગૃપ કંપની અથવા સહયોગી કંપનીને તબદીલ કરાયેલ જમીન વેચાણ ગણવામાં આવશે નહિં. આ વ્યવહારોમાં જંત્રીની માત્ર ૧૦ ટકા કિંમત-પ્રિમિયમ ભરીને તબદીલ થઇ શકશે.
ડેટ રીકવરી-દેવા વસુલી, દ્ગઝ્રન્‌(નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ), લિકવિડેટર કે નાણાંકીય સંસ્થાઓ મારફતે થતી હરાજીમાં આવી જમીનો ખરીદનારે હરાજી હુકમના ૬૦ દિવસમાં જંત્રીના ફકત ૧૦ ટકા પ્રિમિયમ ભરવાનું રહેશે.
આ નિર્ણયથી ઊદ્યોગ સાહસિકો દ્વારા ખરીદવામાં આવેલી ખેતીની જમીનોના પ્રશ્નોનું નિવારણ થતાં પડતર રહેલી જમીનોનો કાર્યક્ષમ ઉપયોગ શક્ય બનશે. તેમજ વિકાસની નવી તકો-રોજગારીની નવી દિશા મળશે.

Related posts

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ મતગણતરી માટેની ચૂંટણી પંચે બહાર પાડી એસોપી…

Charotar Sandesh

પાણી ચોરી મામલે પરેશ પટેલે નહેર ખાતા પર પાયમાલ કરી દેવાના આક્ષેપો કર્યા

Charotar Sandesh

સરકારે રાજ્યના નગરો-મહાનગરોના વિકાસ માટે રૂ.૧૫૭૭૪ કરોડની ફાળવણી કરી…

Charotar Sandesh