Charotar Sandesh
ઈન્ડિયા

બિહારના ભાગલપુરમાં બસ અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કરઃ ૯ મજૂરોના મોત…

પ્રવાસી શ્રમિકોને લઇ બસ દરભંગાથી બાંકા જઇ રહી હતી…

પટના : બિહારના ભાગલપુર-નવગછિયામાં એક રોડ અકસ્માતમાં નવ પ્રવાસી શ્રમિકોના મોત નિપજ્યાં છે. આ દૂર્ઘટના શ્રમિકોથી ભરેલી બસ અને ટ્રક વચ્ચે ટક્કરને લઇને થઇ, જેમાં ૯ શ્રમિકોના મોત થયા છે, જ્યારે અન્ય શ્રમિકોને ઇજા પહોંચી છે. જો કે હજુ પણ કેટલાંક શ્રમિકો નીચે દટાયાં હોવાની આશંકા જોવા મળી રહી છે. હાલમાં મળેલી પ્રાથમિક જાણકારી મુજબ ૯ મૃતદેહ બહાર નીકાળી લેવામાં આવ્યાં છે જ્યારે હાલમાં બચાવ-રાહત કામગીરી કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત મળતી જાણકારી મુજબ પ્રવાસી શ્રમિકોને લઇને બસ દરભંગથી બાંકા જઇ રહી હતી. આ દરમિયાન આ દૂર્ઘટના થઇ હતી. જે ટ્રક સાથે બસની ટક્કર થઇ છે, તે ટ્રકમાં લોખંડના પાઇપો હતા. જેને લઇને ટ્રકમાં સવાર કેટલાંક શ્રમિકો લોખંડની પાઇપ નીચે દબાઇ ગયેલાજોવા મળ્યાં છે. સ્થાનિક લોકો મુજબ આ દૂર્ઘટનામાં હજુ પણ મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે.
આ દૂર્ઘટના નવગછિયા ખરીકના અંભો ચોક પાસ ઘટી છે. આ મામલાની જાણકારી મળતાં સ્થાનિક પોલીસ સ્ટેશ સહિત કેટલાંક વિસ્તારોની પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે, ત્યાર બાદ રોડ પર પડેલા લોહીવાળા લોખંડના પાઇપોને હટાવાની કામગીરી હાથ ધરવામાં આવી. પ્રાપ્ત મળતી જાણકારી મુજબ બસ પ્રવાસી શ્રમિકોને લઇને દરભંગાથી જઇ રહી હતી. આ દૂર્ઘટનામાં બસમાં સવાર ૪ મુસાફરો પણ ઇજાગ્રસ્ત થયા છે.

Related posts

ઈન્ડિયન મેડિકલ એસોસિએશને રામદેવ બાબાને માનહાનીની નોટિસ પાઠવી : ૧૦૦૦ કરોડનો દાવો…

Charotar Sandesh

ચિંતાજનક : આખરે ઓમિક્રોન વાયરસની ભારતમાં એન્ટ્રી થઈ : આ રાજ્યમાં નોંધાયા બે કેસો

Charotar Sandesh

મહારાષ્ટ્રમાં અંતે રાષ્ટ્રપતિ શાસન : શિવસેના સુપ્રિમ કોર્ટના દ્વારે….

Charotar Sandesh