Charotar Sandesh
ગુજરાત

ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા, મુખ્યમંત્રીએ પહિંદ વિધિ કરાવી, રથ પ્રાંગણમાં જ ફરશે…

મુખ્યમંત્રીએ કહ્યું- ભગવાન જગન્નાથજી કોરોનાકાળમાં સૌનું રક્ષણ કરી ઉગારે તેવી પ્રાર્થના…

અષાઢી બીજના કચ્છી માડુંઓનું નવું વર્ષ હોવાથી સીએમ રૂપાણીએ શુભેચ્છા પાઠવી…

અમદાવાદ : અમદાવાદના જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા આ વર્ષે કોરોનાકાળામાં નગરચર્યાએ નહીં નિકળી શકે અને મંદિર પ્રાંગણમાં જ રથોને ફેરવવામાં આવશે. આજે અષાઢી બીજના પાવન પર્વ પર ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી તેમજ ભાઈ બલભદ્રજીની રથયાત્રા ફક્ત નીજ મંદિરના પરિસરમાં જ ફરશે. સવારના 4 વાગ્યે ભગવાન જગન્નાથજીની મંગળા આરતી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સવારના 7 કલાકે ભગવાનના રથની આગળ સોનાની સાવરણી દ્વારા માર્ગ સ્વચ્છ કરીને પહિંદવિધિ કરાવી હતી અને ત્યારબાદ ભગવાનના રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. ગજરાજોએ સૌપ્રથમ મંદિર પટાંગણમાં જ પ્રદક્ષીણા કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રીએ ભગવાન જગદિશનો રથ ખેંચીને પ્રસ્થાન કરાવ્યું હતું.

સીએમે વધુમાં જણાવ્યું કે, હું ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કરું છું કે મહામારીના સમયમાં તેઓ લોકોનું રક્ષણ કરી તેમાંથી ઉગારે. રાજ્યના લોકોનું આરોગ્ય સારું રહે તેવી પ્રાર્થના. સરકારે હાઈકોર્ટમાં અરજી કરી રથ યાત્રાને શરતી મંજૂરી આપવા અરજી પણ કરી હતી.

ભગવાન જગન્નાથજીની અષાઢી બીજના પર્વ પર સવારે ચાર કલાકે નીજ મંદિરમાં મંગળા આરતી યોજાઈ હતી. રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મેયર બીજલબેન પટેલ પણ મંગળા આરતીમાં ઉપસ્થિત રહી ભગાવનના આર્શિવાદ મેળવ્યા હતા. જમાલપુર મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે ભગવાનની મંગળા આરતી ઉતારી હતી.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, કોરોનાકાળમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નગરચર્યાએ નહીં નિકળી શકે અને વર્ષોથી ચાલી આવતી આ પરંપરામાં ફેરફાર થયો છે. નામદાર હાઈકોર્ટના ચુકાદાને પગલે આ વર્ષે રથ ફક્ત મંદિર પરિસરમાં ફેરવવામાં આવશે. અષાઢી બીજીના પર્વ પર કચ્છી લોકોનું નવું વર્ષ હોવાથી તેમને મુખ્યમંત્રીએ શુભેચ્છા પાઠવી હતી.

ત્યારબાદ 6 વાગ્યાથી ભગવાનને રથમાં બિરાજમાન કરાવવામાં આવ્યા હતા. ભગવાન જગન્નાથજી નંદિઘોષમાં, બહેન સુભદ્રાજી કલ્પધ્વજ રથમાં તેમજ બલભદ્રજી તાલધ્વજમાં બિરાજમાન થયા હતા.

મદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજવાના મુદ્દે રાત્રે બે વાગ્યા સુધી ગુજરાત હાઈકોર્ટમાં હાઈવોલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો. હાઈકોર્ટે બે વાગ્યા સુધી ઓનલાઈન સુનાવણી કરી તમામ પક્ષોને સાંભળી અંતે ભક્તો અને લોકોના આરોગ્યની ચિંતા વ્યક્ત કરતા ગુજરાત સરકારની અરજીને ફગાવી દેવામાં આવી હતી અને ભગવાન જગન્નાથજીની રથયાત્રાને નગરચર્યાએ નિકળવા પરનો પ્રતિબંધ યથાવત્ રખાયો હતો.

Related posts

ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી કેબિનેટનું ટૂંક સમયમાં વિસ્તરણ થવાની અટકળો તેજ બની…

Charotar Sandesh

અમદાવાદમાં કોરોના પર કંટ્રોલ : ખાનગી હોસ્પિટલમાં માત્ર ૧૮૯ દર્દી જ સારવારમાં છે…

Charotar Sandesh

ગુજરાતમાં કોરોના શબ્દ ૭૦ કરોડ અને સુરતમાં ૯.૫૦ કરોડ વખત ઈન્ટરનેટમાં સર્ચ થયો…

Charotar Sandesh