Charotar Sandesh
ઈન્ડિયા

ભારત સામે ઝૂક્યુ ચીન : લદ્દાખમાં સેના હટાવવા તૈયાર…

૧૧ કલાકની વાતચીત બાદ કમાન્ડર લેવલની બેઠકમાં સર્વ સંમતિ થઇ…

કમાન્ડર સ્તરની બેઠકમાં ચીને ઝપાઝપી થઈ તે વિસ્તારમાંથી સૈનિકો ખસેડવા તૈયારી દર્શાવી…

ન્યુ દિલ્હી : ભારત અને ચીન લદ્દાખમાં ચાલી રહેલા તણાવમાં સોમવારમાં થોડોક ઘટાડો થતા જોવા મળ્યો. ગઇકાલે થયેલી બંને દેશોનાં જનરલો વચ્ચેની વાતચીત દરમિયાન ડ્રેગન પૂર્વ લદ્દાખનાં તણાવવાળા વિસ્તારથી પોતાના સૈનિકોને હટાવવા પર સહમત થયું છે. ઉલ્લેખનીય છે કે ગલવાન ખીણમાં ચીની સેનાની સાથે સંઘર્ષમાં ભારતનાં ૨૦ જવાનો શહીદ થયા હતા, જ્યારે ચીનનાં ૪૦ જવાનો માર્યા ગયા હતા. આ ઘટના બાદ બંને દેશો વચ્ચેનો તણાવ ચરમ પર પહોંચી ચુક્યો છે.
સૂત્રોએ જણાવ્યું કે વાતચીતમાં પૂર્વ લદ્દાખથી સૈનિકોને હટાવવા માટેની રીતોને અંતિમ આકાર આપવા પર ધ્યાન આપવામાં આવ્યું. વાતચીત દરમિયાન ભારત તરફથી સ્પષ્ટ કહી દેવામાં આવ્યું કે ન્છઝ્રમાં જેવી સ્થિતિ ૫ મે પહેલા હતી તેવી જ હોવી જોઇએ. એટલે કે ભારત તરફથી સ્પષ્ટ શબ્દોમાં કહી દેવામાં આવ્યું કે ચીન પોતાની સરહદમાં પાછું ફરે. બંને પક્ષોની વચ્ચે એ જ જગ્યાએ ૬ જૂનનાં લેફ્ટનન્ટ સ્તરની પહેલા સ્તરની વાતચીત થઈ હતી, ત્યારબાદ બંને દેશોએ આ અવરોધ દૂર કરવા માટે એક સમજૂતીને અંતિમ રૂપ આપ્યું હતુ.
જો કે ૧૫ જૂનનાં થયેલી હિંસક અથડામણ બાદ સરહદ પર સ્થિતિ બગડી ગઈ, કેમકે બંને પક્ષોએ ૩,૫૦૦ કિલોમીટરની વાસ્તવિક સરહદની પાસે મોટાભાગનાં ક્ષેત્રોમાં પોતાની સૈન્ય તૈનાતી ઘણી ઝડપી કરી દીધી. ઉલ્લેખનીય છે કે ભારત અને ચીનની વચ્ચે લાઇન ઑફ એક્ચુઅલ કંટ્રોલ (LAC) પર ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે સોમવારનાં લેફ્ટનન્ટ જનરલ સ્તરની વાતચીત થઈ હતી.
ભારતીય પક્ષનું નેતૃત્વ ૧૪મી કોરનાં કમાન્ડર લેફ્નટન્ટ જનરલ હરિંદર સિંહે કરી જ્યારે ચીની પક્ષનું નેતૃત્વ તિબેટ મિલિટ્રી ડિસ્ટ્રિક્ટનાં કમાન્ડરે કર્યું હતુ. ન્છઝ્રની બીજી તરફ ચીનનાં મૉલ્ડો વિસ્તારમાં બંને સેનાઓનાં અધિકારીઓ વચ્ચે બેઠક થઈ. આ બેઠક લગભગ ૧૨ કલાક બાદ ખત્મ થઈ. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે, સોમવારનાં થયેલી કોર કમાન્ડરની બેઠક સકારાત્મક માહોલમાં થઈ.
૧૫ જૂનની રાત્રે ન્છઝ્ર પર ભારત અને ચીનનાં સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જેમાં ૨૦ ભારતીય સૈનિકો શહીદ થયા હતાં. ઉપરાંત મળતી માહિતી અનુસાર ચીનનાં પણ ૪૩થી વધુ સૈનિકો આ અથડામણમાં માર્યા ગયા હતાં. પરંતુ ચીને હજુ સુધી માર્યા ગયેલા સૈનિકોની સંખ્યા નથી આપી.

Related posts

તમામ રાજકીય પક્ષો ચૂંટણી બોન્ડની વિગતો ચૂંટણી પંચને સોંપેઃ સુપ્રીમ કોર્ટ આભાર – નિહારીકા રવિયા

Charotar Sandesh

કેજરીવાલના નિવેદન પર સિંગાપુર ભડક્યું : વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરવી પડી

Charotar Sandesh

PM મોદી અને શાહ સામે આચારસંહિતા મામલે કાર્યવાહી કરવા કોંગ્રેસની સુપ્રીમમાં અરજી

Charotar Sandesh